જામનગરમાં જુના રેલ્વે સ્ટેશન પાસે પુનઃ ખડકી દેવાયેલી ઝુપડપટ્ટી હટાવવા આરપીએફની કાર્યવાહી

  • June 03, 2025 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વહેલી સવારથી જ રેલવે પોલીસ દ્વારા ઝુંપડા સહિતના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાતાં ભારે દોડધામ

જામનગરમાં અંબર ચોકડી નજીક જૂના રેલવે સ્ટેશન પાસે રેલવેની જગ્યામાં કાયમી સમસ્યા સમાન ઝુપડપટ્ટી ખડકાઈ જાય છે. રેલવે તંત્ર દ્વારા અનેક વખત આ ઝુપડપટ્ટી ને હટાવવાની કામગીરી હાથ ધરી છે, પરંતુ ઝુપડાવાસીઓ ફરી આ જગ્યાએ આવીને કબજો કરી લેતા હોય છે.

આજે ફરીથી રેલવે પોલીસ ની ટીમ દ્વારા ઝુપડાઓ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વહેલી સવારથી જ રેલવે પોલીસનો સ્ટાફ અંબર ચોકડી પાસે આવી પહોંચ્યો હતો, જ્યાં રેલવેની ત્રિકોણ વાળી જગ્યામાં ૨૦ થી વધુ ઝુપડા ખડકાઈ ગયા છે, જે તમામને ખાલી કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રેલવે પોલીસ દ્વારા તમામ ઝૂંપડાવાસીઓને પોતાનો માલ સામાન લઈ જવા માટેની તક આપી હતી, અને ઝુપડાવાસીઓએ પણ ચોમાસા ની સિઝન આવી રહી છે, ત્યારે પોતાને અહીંથી નહીં ખસેડવા માટે રકઝક કરી હતી, પરંતુ રેલ્વે પોલીસ તંત્ર એ મચક આપી ન હતી, અને જગ્યા ખાલી કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application