IPL 2024ની 63મી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી આ મહત્વની મેચમાં વરસાદ વિલન સાબિત થયો હતો. વરસાદને કારણે ટોસ ઉછાળ્યા વિના જ મેચ રદ્દ કરી દેવામાં આવી છે. આ સાથે IPL 2024માં શુભમન ગીલની સેનાની સફર પૂર્ણ થઈ ગઈ છે.
IPL 2024 ની 63મી મેચ ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી હતી. જે વરસાદના કારણે રદ્દ કરવામાં આવી છે.
મહત્વનું છે કે KKR ટીમ પહેલાથી જ IPL 2024 ના પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે, હવે તેનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સાથે થવાનો હતો. પરંતું અમદાવાદમાં વરસાદને કારણે ટોસ પહેલા જ મેચને રદ્દ કરી દેવામાં આવી છે.
મેચ રદ્દ થવાથી ગુજરાત ટાઇટન્સ IPL 2024માંથી બહાર થઈ ગઈ છે. ગુજરાત આ સિઝનમાંથી બહાર થનારી બીજી ટીમ બની છે. અગાઉ મુંબઈ ઈન્ડિયન્સ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMક્રુડ ઓઇલના ભાવમાં થઈ રહેલો સતત વધારો દુનિયાને દઝાડશે, જાણો આની પાછળના કારણો
June 09, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech