ગુજરાતમાં 24 કલાકમાં 35 તાલુકામાં વરસાદ, માત્ર બે તાલુકામાં જ એક ઇંચથી વધુ, નૈઋત્યનું ચોમાસુ મુંબઈથી આગળ વધતું નથી

  • June 02, 2025 12:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નૈઋત્યનું ચોમાસુ આગળ વધવાનું બંધ થઈ ગયું છે અને દેશના નોર્થ ઈસ્ટ સિવાયના મોટાભાગના રાજ્યોમાં વરસાદનો વ્યાપ અને માત્રા ઘટી રહી છે. ગરમી બફારો અને વાદળીયા વાતાવરણ જેવી લોકલ સિસ્ટમના કારણે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ શરૂ ચાલુ છે. આજે સવારે 6:00 વાગે પૂરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 35 તાલુકામાં વરસાદની હાજરી જોવા મળે છે. પરંતુ તેમાંથી માત્ર બે તાલુકામાં એક ઇંચ થી વધુ વરસાદ થયો છે.


વરસાદના વિઘ્નને કારણે અમદાવાદમાં આઇપીએલની મેચ ગઈકાલે મોડી શરૂ થઈ હતી. જોકે રાજ્ય કંટ્રોલ રૂમ દ્વારા જાહેર કરવામાં આવેલી વરસાદની આંકડાકીય માહિતીમાં અમદાવાદમાં વરસાદ પડ્યાનો ક્યાંય ઉલ્લેખ નથી.


છેલ્લા 24 કલાકમાં દાહોદ જિલ્લાના ફતેપુરામાં 33 અને અરવલ્લી જિલ્લાના મેઘરજમાં 30 મીલીમીટર વરસાદ નોંધાયો છે. આ સિવાય બાકીના 33 તાલુકામાં સામાન્ય ઝાપટા પડ્યા છે. આજે સવારે છ થી આઠ વાગ્યાના પ્રથમ બે કલાકમાં ભરૂચ જિલ્લાના હાસોટમાં 17 મીલીમીટર વરસાદ નોંધાયો છે.


આસામ મેઘાલય નાગાલેન્ડ મણીપુર મિઝોરમ ત્રિપુરા સિક્કિમમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જ્યારે ઉત્તરાખંડ પશ્ચિમ બંગાળ જમ્મુ કશ્મીર લદાખ છત્તીસગઢ હરિયાણા ચંદીગઢ દિલ્હી મધ્યપ્રદેશ પંજાબ સહિતના રાજ્યોમાં હળવોથી મધ્યમ વરસાદ પડે છે.


નૈઋત્યનું ચોમાસુ મુંબઈથી આગળ વધતું નથી અને સિસ્ટમ નબળી પડી ગઈ હોવાથી દેશના અન્ય રાજ્યોમાં પણ વરસાદની માત્રા અને વ્યાપ સતત ઘટી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News