વિજરખી ગામના ખેડુત પાસેથી ઘઉ ખરીદીને હાથ ઉંચા કર્યા

  • June 03, 2025 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના બે શખ્સ સહિત ત્રણ સામે ફરીયાદ: ૩૭૨ મણ ઘઉં લઇ ગયા બાદ રુપીયા આપ્યા નહીં

જામનગર નજીક વિજરખી ગામના ખેડુત પાસેથી ગત મહીનામાં ૩૭૨ મણ ઘઉ ખરીદ કરીને ત્યાર બાદ રુપીયા નહી આપીને છેતરપીંડી કર્યાનુ ઘ્યાને આવતા રાજકોટના બે અને અન્ય એક અજાણી વ્યકિત મળી કુલ ૩ સામે ફરીયાદ કરવામાં આવી છે.

જામનગર તાબેના વિજરખી ગામમાં રહેતા ખેતીકામ કરતા દેવાયત મેઘાભાઇ ખીમાણીયાએ ગઇકાલે પંચ-એમાં રાજકોટ રતનપર બેડી ખાતે રહેતા હિંમત ચૌહાણ, રાજકોટ ભકિતનગર બાબરીયા કોલોની શેરી નં. ૧માં રહેતા સુલતાન હુશેન પતાણી અને એક અજાણ્યા વ્યકિત આ ત્રણેયની વિરુઘ્ધ બીએનએસ કલમ-૩૧૬ (૨), ૩૧૮ (૪) અને ૫૪ મુજબ ફરીયાદ નોંધાવી હતી.

ગત તા. ૨૭-૪-૨૫ના સમયગાળા દરમ્યાન વિજરખી તથા મિયાત્રા સીમમાં ફરીયાદીની વાડીએ આરોપીઓએ ફરીયાદીના ૩૭૨ મણ ઘઉ જેમાં ૧ મણના ૫૫૦ લેખે કુલ ૨,૦૪,૬૦૦ ના ઘઉ લઇને આ ઘઉ ખરીદીના રુપીયા નહીં આપીને  ફરીયાદી દેવાયતભાઇ સાથે વિશ્ર્વાસઘાત છેતરપીંડી કરી એકબીજાને મદદગારી કરી હતી ફરીયાદ આધારે પંચ-એ પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News