રાજકોટની એસીબી ટીમના સુપવિઝન હેઠળ જામનગર એસીબી ટીમના PI આર.એન. વિરાણીએ ગાંધીનગરમાં લાંચિયા એએસઆઇની ઝડપી પાડ્યો છે. ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો એએસઆઇ અશોક બેચરભાઇ ચૌધરીને અડાલજમાં આવેલ અતિથિ ધાબા પાસેથી રૂપિયા 2 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યો છે.
ફરિયાદીએ જામનગર એસીબીમાં જાણ કરી
અશોક ચૌધરી સેક્ટર ૭ પોલીસ સ્ટેશન, ગાંધીનગરમાં એએસઆઇ તરીકે ફરજ બજાવે છે. આ કામના ફરીયાદી વિરૂધ્ધ નાણાકીય લેતી દેતી અંગે ગેરરીતીની અરજી કરી હતી. તેની તપાસ અશોક ચૌધરી ચલાવી રહ્યો હતો. આથી તેણે ફરિયાદીને અરજી તપાસમાં હેરાનગતી નહીં કરવા અને ગુનો દાખલ નહીં કરવા માટે રૂપિયા 2 લાખની લાંચની માંગણી કરી હતી. જે ગેરકાયદેસર લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીએ જામનગર એસીબીનો સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદના આધારે ગોઠવાયેલ લાંચના છટકા દરમિયાન અશોક ચૌધરીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ માંગી અને સ્વીકારી લીધી હતી. આ છટકામાં એસીબી ટીમે તેને તુરંત જ ઝડપી લીધો હતો. એએસઆઇએ પોતાના રાજ્યસેવક તરીકેના હોદાનો દુરપયોગ કરી ઝડપાઈ જઈ ગુનો આચર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech