રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક જૂન માસના પ્રથમ સપ્તાહમાં બોલાવવાનું આયોજન ફાઈનલ કરાયું હતું. કારોબારી સમિતિની બેઠક પછી તારીખ 15 થી 20 જૂન વચ્ચે સામાન્ય સભા બોલાવવાનું નક્કી કરાયું હતું. પરંતુ હવે તે શક્ય બનશે નહીં. ગ્રામ પંચાયતોની ચૂંટણીની આચારસંહિતા લાગુ પડી જતા આ બંને બેઠકો પાછી ઠેલવામાં આવી છે.
જિલ્લા પંચાયતમાં શિક્ષણ, આરોગ્ય બાંધકામ સહિતની જુદી જુદી કમીટીઓની બેઠક પૂરી થઈ ગઈ છે. આવી બેઠકો પૂરી થયા પછી છેલ્લે કારોબારી સમિતિની બેઠક મળતી હોય છે અને તેમાં મહત્વની દરખાસ્ત મંજૂર કરીને સામાન્ય સભામાં મોકલવામાં આવતી હોય છે. જૂન માસના પ્રથમ સપ્તાહમાં કારોબારી સમિતિની બેઠક બોલાવવાની હતી અને ત્યાર પછી 15 થી 20 જૂન વચ્ચે સામાન્ય સભા મળવાની હતી. પરંતુ ચૂંટણી આચાર સહિતા નડી જતા હવે જૂન માસના અંતિમ સપ્તાહમાં કારોબારી સમિતિની બેઠક મળશે અને ત્યાર પછી જુલાઈ માસના પ્રથમ અથવા બીજા સપ્તાહમાં સામાન્ય સભાની બેઠક મળશે.
રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા નિયમિત રીતે દર ત્રણ મહિને મળતી હોય છે પરંતુ આ વખતે ચૂંટણી આચારસંહિતાના કારણે તેમાં મોટો ગેપ પડી જશે. તારીખ 28 મેથી આચારસંહિતા લાગુ પડી છે અને તારીખ 27 જૂન સુધી તે અમલમાં રહેવાની હોવાથી એક મહિના જેટલો સમયગાળો જિલ્લા પંચાયતમાં ખાસ કોઈ પ્રકારની ચહલપહલ કે ધમધમાટ વગરનો રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech