વાંકાનેર તાલુકાના દરેક ક્ષત્રિય ગામમાં આ રથ પહોંચ્યો હતો અને ત્યાં મોટી સંખ્યામાં ક્ષત્રીય સમાજ સાથે અન્ય સમાજના લોકો પણ હાજર રહ્યા હતા. દરેક ગામમાં ભાજપ વિરૂધ્ધ અને કોંગ્રેસ તરફથી મતદાન કરાવવાના સોગંદ લેવડાવવામાં આવ્યા હતા. ક્ષત્રીય સમાજના આગેવાનોએ વધુમાં ઉમેર્યું હતું કે, તમને સમજાવવા માટે સમાજના આગેવાનો આવશે તેમને બે હાથ જોડીને કહી દેજો કે, અમે સમાજ સાથે છીએ અને સંકલન સમિતિ વિશે કેટલીક ખોટી અફવા ફેલાવોમાં આવી રહી છે અને હજુ વધુ ફેલાવવામાં આવશે કોઈ વાતમાં આવશો નહીં.
દરેક વ્યકિતએ બે પાંચ બીજા મત ભાજપની વિધ્ધમાં કોંગ્રેસમાં અપાવવાના છે. ધર્મરથ વાંકાનેર તાલુકામાં આવ્યો હતો અને ક્ષત્રીય સમાજના ગામોમાં ફર્યો હતો. જયાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ધર્મરથનું સામૈયું કરીને સ્વાગત કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વેળાએ માત્ર ક્ષત્રીય સમાજ જ નહીં પણ અન્ય સમાજના લોકોએ પણ તેમાં જોડાયા હતા.
રાજપુત ક્ષત્રીય સમાજ અને કરણી સેના દ્વારા આયોજીત ક્ષત્રીય નારી અસ્મિતા રથને આજે કચ્છમાં માતાના મઢ મંદિર પાસેથી પ્રસ્થાન કરાયું હતું. આ પહેલા ક્ષત્રીય સમાજ અને અન્ય સમાજના લોકો માતાના મઢ ખાતેની ક્ષત્રીય સમાજની વાડી ખાતે એકત્ર થયા હતા અને રેલી સ્વપે માઁ આશાપુરા મંદિરે પહોંચી માતાજીના દર્શન બાદ અસ્મિતા ધર્મ રથને પ્રસ્થાન કરાવાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech