ગોરીંજા, મોજપ અને વાચ્છુ શાળામાં નિમણૂંક થશેઃ તા. 30 મે સુધી અરજી કરી શકાશે
દ્વારકાના ઓખામંડળમાં ત્રણ પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલકોની નિમણૂંક કરવામાં આવશે. આ નિમણૂંક રાજ્ય સરકાર દ્વારા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓ માટે કરવામાં આવશે. સંચાલકોને માસિક ઉચ્ચક માનદ વેતન આપવામાં આવશે.
ગોરીંજા, મોજય અને વાચ્છુ પ્રાથમિક શાળાઓમાં આ નિમણૂંક કરવામાં આવશે. ઇચ્છુક ઉમેદવારોએ મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ કચેરી, ઓખામંડળ (દ્વારકા)માંથી અરજી ફોર્મ મેળવી શકશે. ભરેલા ફોર્મ 30 મે સુધીમાં કચેરી સમય દરમિયાન જમા કરાવવાના રહેશે.
ઉમેદવારો માટેની લાયકાત એસ.એસ.સી. અથવા તેનાથી વધુ અભ્યાસ છે. જો ગામમાં આવી વ્યક્તિ ન મળે તો ધોરણ 7 પાસ પણ અરજી કરી શકશે. ઉમેદવારની વય મર્યાદા 20થી 60 વર્ષની છે.
અરજદારો કેન્દ્ર કે, રાજ્ય સરકારની અનુદાનિત સંસ્થામાં નોકરી કરતા ન હોવા જોઈએ. વ્યાજબી ભાવની દુકાન, અનાજ દળવાની ઘંટી, શાકભાજી કે મરી-મસાલાના વેપારી ન હોવા જોઈએ. ઉમેદવારના પરિવારજનો મધ્યાહન ભોજન સંચાલક તરીકે કાર્યરત ન હોવા જોઈએ. ઉમેદવારોએ અરજી ફોર્મ સાથે શૈક્ષણિક પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો રજૂ કરવાની રહેશે. ઇન્ટરવ્યુ માટે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે.