સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશએ સુરતના અમરોલીમાં સત્સંગ સભા દરમિયાન સંત શિરોમણી જલારામ બાપા વિશે તથ્યવિહીન અને જલારામ બાપાના ભક્તોની લાગણીને ઠેસ પહોંચે તેવી વાત કરી હતી. જેને લઇ ભારે રોષ ફેલાઈ જવા પામ્યો છે. જેના વિરોધમાં જલારામ બાપાની નગરી વીરપુરમાં એક દિવસનો બંધ પણ પાડવામાં આવ્યો હતો.
દરમિયાન આજરોજ રાજકોટમાં શ્રી રામધામ ટ્રસ્ટના નેજા હેઠળ પ્ર.નગર પોલીસ સ્ટેશનને લેખિત ફરિયાદ અરજી આપવામાં આવી છે. જેમાં આ પ્રકારનો વાણી વિલાસ કરનાર સ્વામી સામે ફોજદારી ફરિયાદ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે. આ તકે રામધામ ટ્રસ્ટના ટ્રસ્ટી જેમાં હસુભાઈ ભંગદેવ, પ્રતાપભાઈ કોટક, ભીખાલાલ પાઉં, કલ્પેશભાઈ તન્ના, મેહુલભાઈ નથવાણી અને વિપુલભાઈ મણીયાર સહિતનાઓ સાથે રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech