આ નાણાં સરકારને આ વર્ષે રાજકોષીય ખાધ ઘટાડીને 4.4 ટકા કરવામાં મદદ કરશે અને બેંકિંગ સિસ્ટમમાં તરલતા વધશે. રિઝર્વ બેંકએ તેના જોખમ બફરને 6.5% થી વધારીને 7.5% કર્યો છે, જેનો અર્થ એ છે કે બેંક નાણાકીય બજારમાં ઘટાડો અથવા આર્થિક આંચકાને કારણે થતા નુકસાન જેવા કોઈપણ અણધાર્યા જોખમોને આવરી લેવા માટે પૈસા અલગ રાખી રહી છે.
અંદાજ ૩ લાખ કરોડ રૂપિયા મળવાનો હતો
શુક્રવારે રિઝર્વ બેંકએ સેન્ટ્રલ બોર્ડની 616મી બેઠકમાં, અધિકારીઓએ વૈશ્વિક સ્તરે અને ભારતમાં આર્થિક જોખમોની સમીક્ષા કરી અને મોદી સરકારને 2,68,590.07 કરોડ રૂપિયાના ડિવિડન્ડ ટ્રાન્સફરને મંજૂરી આપી.અગાઉ એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે રિઝર્વ બેંક આ વર્ષે સરકારને 3 લાખ કરોડ રૂપિયા સુધીનું ડિવિડન્ડ આપી શકે છે, જે ગયા વર્ષ કરતા લગભગ 50 ટકા વધુ છે. કેન્દ્રીય બજેટમાં પણ રિઝર્વ બેંક અને અન્ય નાણાકીય સંસ્થાઓ તરફથી 2.56 લાખ કરોડ રૂપિયાના ડિવિડન્ડની અપેક્ષા રાખવામાં આવી હતી.
રિઝર્વ બેંક આ માટે કરે છે ડિવિડન્ડની જાહેરાત
આરબીઆઈ દર વર્ષે ભારત સરકારને આર્થિક મૂડી માળખાના નિયમો હેઠળ ડિવિડન્ડ આપે છે. રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર બિમલ જાલાનની આગેવાની હેઠળની સમિતિના અહેવાલના આધારે ઓગસ્ટ 2019 માં તેનો અમલ કરવામાં આવ્યો હતો.જાલાન સમિતિએ રિઝર્વ બેંકને બેલેન્સ શીટના 5.5 થી 6.5 ટકા જોખમ બફર તરીકે રાખવાનું સૂચન કર્યું હતું. આ પછી વધારાની રકમ સરકારને ટ્રાન્સફર કરવામાં આવે છે. સરકાર આ રકમનો ઉપયોગ રાજકોષીય ખાધ ઘટાડવા, વિવિધ વિકાસ કાર્યો માટે અને તેના ખર્ચાઓ પૂરા કરવા માટે કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech