રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દિ વર્ષ વિશેષાંકનો વિમોચન કાર્યક્રમ કર્ણાવતી ખાતે યોજાયો હતો.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગુજરાતની જાગરણ પત્રિકા વિચારભારતીના ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષ’ વિશેષાંકનો વિમોચન કાર્યક્રમ વિચાર પ્રવાહ ટ્રસ્ટ દ્વારા ડો. હેડગેવાર ભવન, કર્ણાવતી ખાતે યોજાયો હતો. આ વિશેષાંકનું વિમોચન પ્રદીપ જોશી (અખિલ ભારતીય સહ પ્રચાર પ્રમુખ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ના હસ્તે થયુ હતુ. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ મોહનલાલ મંદાણી (નિવૃત્ત આસિસ્ટન્ટ લેબર કમિશ્નર, સંશોધક-લેખક અને જાણીતા આધિવકતા) ઉપસ્થિત રહ્યા હતા. ડો. ભરતભાઇ પટેલ ( સંઘચાલક, ગુજરાત પ્રાંત, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. વિચાર પ્રવાહ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રફુલ્લભાઇ સાવલીયાએ સૌને સ્વાગત કર્યુ હતુ.
તથા વિચાર ભારતીના તંત્રી ચંદ્રકાંતભાઇ દવેએ કાર્યક્રમ માટે માર્ગદર્શન પૂરી પાડયુ હતુ.આ અવસરે પ્રદીપ જોશીએ પોતાના ઉદ્બોધનમાં કહ્યું કે સંઘ એ માત્ર સંગઠન જ નહી પણ એક વિચારયાત્રા છે. આ વિચારયાત્રાને સમજવા માટે તેની વૈચારિક ઉંડાઇને સમજવી પડે. સંઘનું ચિંતન હંમેશા દીર્ઘકાલીન રહ્યું છે. એટલે વર્ષો પહેલા કરેલા ચિંતન અને કાર્યોનું પરિણામ હવે આપણે ધીમે ધીમે થતુ જોઇ રહ્યા છીએ. તેમણે સંઘના પાંચમા સરસંઘચાલજી સુદર્શનની સ્મૃતિને વાગોળીને કહ્યુ હતુ કે વર્ષો પહેલા સુદર્શનજી ૨૦૧૨ પછ ભારતના સૂર્યોદયની વાત પ્રમાણો સાથે કરતા હતા.
ત્યારે બધાના મનમાં સંશય થતો હતો કે આ કેવી રીતે શકય છે? પરંતુ એવું પરિવર્તન આપણે સૌએ નિહાળ્યું છે અને હજુ આગળ જોઇ રહ્યા છીએ. જે સંઘની કાર્યપધ્ધતિ અને તેના દીર્ઘકાલીન કાર્યનું પ્રમાણ છે. આ સાથે તેમને ભારત સામેના પડકારો અને વર્તમાનમાં રાષ્ટ્રીયત્વ માટે વધુ સંગઠિત થઇ અને મજબૂત થઇને કામ કરવાની વાત કરી હતી.
આ કાર્યક્રમમાં વિમોચન થયેલ ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષ’ વિશેષાંક કુલ બે સંપુટમાં પ્રકાશિત થયો છે. જેના સંપૂટ એકમાં સંઘના પ્રારંભ થવાથી લઇને તેના વિચાર, ચિંતન, કાર્યપધ્ધતિ અને સંઘના કાર્યના વ્યાપ ઉપર દ્રષ્ટિગોચર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જ્યારે સંપુટ -૨માં સંઘના વૈચારિક ચિંતનથી લઇ સમાજમાં તેના વિવિધ આયામો અને ભૂમિકા ઉપર માહિતી આપવામાં આવી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સમજવાની દિશામાં આ વિશેષાંક સમાજના તમામ લોકોને ખૂબ ઉપયોગી બની રહેશે તેવી મંચસ્થ મહાનુભાવો દ્વારા આશા વ્યકત કરવામાં આવી. કાર્યક્રમના અંતમાં વિચાર પ્રવાહ ટ્રસ્ટ દ્વારા સૌનો અભાર વ્યકત કરવામાં આવ્યો હોત. આ કાર્યક્રમમાં ગણમાન્ય લોકો અને વાચકોની ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાંભા ગીરના ગામડાઓમાં વરસાદની તોફાની બેટિંગ
June 08, 2025 01:51 PMઆટકોટ નજીક ટ્રક બેકાબૂ: ચાર વાહનોને લીધા અડફેટે, સદનસીબે જાનહાનિ ટળી
June 08, 2025 01:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech