એકનાથ શિંદેએ મિત શાહ સાથેની બેઠકમાં વિધાન પરિષદના અધ્યક્ષ પદ અને 12 મંત્રી પદની માંગણી કરી છે. શિંદે શિવસેના માટે ગૃહ મંત્રાલય અને શહેરી વિકાસ જેવા મહત્ત્વના મંત્રાલયો પણ ઈચ્છે છે.
મહારાષ્ટ્રમાં પરિણામ આવ્યાને 6 દિવસ થઈ ગયા છે પરંતુ મુખ્યમંત્રી પદ પર હજુ પણ સસ્પેન્સ યથાવત્ છે. આ મુદ્દે ગુરુવારે અમિત શાહ અને જેપી નડ્ડા સાથે મહાગઠબંધનમાં સામેલ ત્રણેય પક્ષોના નેતાઓની બેઠક પણ યોજાઈ હતી. લગભગ એક કલાક સુધી ચાલેલા મંથનમા પણ મુખ્યમંત્રીના નામને મંજુરી મળી શકી ન હતી.
શિંદે જૂથના સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથેની બેઠકમાં તેમની માંગણી રજૂ કરી હતી. તેમણે શિવસેના માટે વિધાન પરિષદના અધ્યક્ષ પદ અને 12 મંત્રી પદની માંગ કરી છે. જેમાં ગૃહ મંત્રાલય અને શહેરી વિકાસ સહિત અનેક મહત્વપૂર્ણ વિભાગોનો સમાવેશ થાય છે. શિંદેએ અમિત શાહને અપીલ કરી છે કે Guardian Minister તરીકે નિયુક્ત કરતી વખતે પણ શિવસેના પ્રત્યે યોગ્ય સન્માન જાળવવા અપીલ કરી છે.
શિવસેના મહાયુતિ સાથે
એકનાથ શિંદે ફરી એકવાર અમિત શાહ પર વિશ્વાસ મૂક્યો અને કહ્યું કે શિવસેના મહાયુતિની સાથે છે. જો કે, બેઠકમાં અમિત શાહ દ્વારા શિંદેની માંગણીઓ પર કોઈ પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી ન હતી. શિંદેની માંગણીઓને લઈને રાજ્યમાં ફરી એક વિચારમંથન સત્ર થશે અને જો જરૂર પડશે તો અમે અંતિમ ચર્ચા માટે ફરીથી દિલ્હી જઈશું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech