ઉત્તર પ્રદેશના એક મંત્રીએ એક ગૌશાળાના ઉદ્ઘાટન સમારોહમાં એવો ચોકાવનારો દાવો કર્યો હતો કે ગૌશાળામાં સૂવાથી અને તેની સાફ સફાઈ કરવાથી કેન્સર મટી શકે છે જ્યારે ગાયની પીઠ થપથપાવવાથી બ્લડ પ્રેશર ઓછું થઈ શકે છે. યુપીના મંત્રી સંજય સિંહ ગંગવારે નૌગાવા પાકડિયામાં કાન્હા ગૌશાળાના ઉદ્ઘાટન દરમિયાન આ ટિપ્પણી કરી હતી.
મંત્રી સંજય ગંગવારે ખુલ્લા મંચ પરથી જનમેદનીને સંબોધતા તેમણે કહ્યું કે દરરોજ સવાર-સાંજ ગાયની પીઠ પર હળવા હાથે થપથપી આપવાથી બ્લડપ્રેશરની દવા અડધી થઈ જશે. મંત્રીએ કહ્યું કે, ગાયને આ રીતે કરવાથી જો દર્દી એક દિવસમાં 20 મિલિગ્રામ દવા લેતો હશે તો 10 મિલિગ્રામ જ લેવી પડશે અને આ પરિણામ 10 જ દિવસમાં જોવા મળશે.
સંજય ગંગવારે લોકોને વધુ આશ્વાસન આપ્યું. તેણે કહ્યું કે આ એક સંપૂર્ણ રીતે પરીક્ષિત વસ્તુ છે જે હું તમને કહી રહ્યો છું. સભામાં હાજર કેટલાક લોકોએ તાળીઓ પાડી હતી જ્યારે મંચ પર બેઠેલા લોકો આશ્ચર્યમાં મંત્રીને જોઈ રહ્યા હતા. મંત્રીએ વધુમાં દાવો કર્યો કે, ’જો તમે કેન્સરના દર્દી છો તો ગૌશાળાની સફાઈ શરૂ કરો. જો તમે ત્યાં સુવાનું રાખશો તો કેન્સર પણ મટી શકે છે.
ગાયના મહિમાના વખાણ કરતાં મંત્રીએ કહ્યું કે ગાય સેવા એ સૌથી મોટી સેવા છે. લોકોએ ગૌશાળામાં ગાયો માટે દાન આપવું જોઈએ. તમારા બાળકોનો જન્મદિવસ પણ ગૌશાળામાં ઉજવો. આનાથી સમાજમાં વધુ સારો સંદેશ જશે.
રાજ્ય મંત્રી સંજય ગંગવાર રવિવારે નગર પંચાયત નૌગનવા પાકડિયામાં બનેલી કાન્હા ગૌશાળાનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા. અહીં જ જ્યારે તેમણે ગાય વિશે વાત શરૂ કરી તો તેમણે બ્લડપ્રેશર અને કેન્સરની સારવાર વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે જો આપણે ગાયના છાણને બાળીશું તો આપણને મચ્છરોથી રાહત મળશે. જોકે, તેના કેન્સરના દાવાની સૌથી વધુ ચચર્િ થઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકુછડી સીમશાળા-૧ ના શિક્ષિકાનું જયપુર ખાતે થયું અભિવાદન
June 10, 2025 02:25 PM૬.૫૦ કરોડના ખર્ચે વિકસાવવાની કામગીરીનો થયો શુભારંભ
June 10, 2025 02:24 PMઅમ્પાયર સાથે ઝઘડા બાદ બેટ પછાડી ગ્લવ્સ ફેંકવા બદલ આર. અશ્વિનને દંડ
June 10, 2025 02:13 PMજામનગર મનપા કમિશનર દ્વારા બચુનગર વિસ્તારમાં દબાણવાળી જગ્યાનું જાત નિરીક્ષણ કરાયું
June 10, 2025 02:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech