રાજકારણીઓ, નિવૃત્ત અમલદારો અને ભૂતપૂર્વ ન્યાયાધીશો દ્વારા પોતાના સ્વાર્થ માટે રમતગમત ફેડરેશનનો ઈજારો કરવાની પ્રથાને નકારી કાઢતા સુપ્રીમ કોર્ટે ગઈકાલે કહ્યું કે આ બંધ થવું જોઈએ અને રમતગમતની સુધારણા માટે ભૂતપૂર્વ ખેલાડીઓને વહીવટનો હવાલો સોંપવો જોઈએ.
જસ્ટિસ સૂર્યકાંત અને એન કે સિંહની બેન્ચે કબડ્ડી વહીવટમાં ગેરવહીવટનો કડક વિરોધ કર્યો. જેના પરિણામે ભારતીય ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં ભાગ લેવાથી પ્રતિબંધિત કરવામાં આવ્યા અને ઇન્ટરપોલની મદદથી અસરકારક સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય તપાસ માટે સીબીઆઈ પાસેથી સૂચનો માંગ્યા.
વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણન અને વકીલ શ્રવણ કુમારે આરોપ લગાવ્યો હતો કે જયપુરનો એક ગેહલોત પરિવાર દાયકાઓથી કબડ્ડી વહીવટ પર એકાધિકાર કરી રહ્યો છે અને તેના ગેરવહીવટ માટે જવાબદાર છે, જેના પછી કોર્ટે આ આદેશ આપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech