આ વાતનો ખુલાસો સુષ્મિતા સેને સિમી ગરેવાલને આપેલા એક જૂના ઈન્ટરવ્યુમાં કર્યો હતો. અભિનેત્રીએ કહ્યું કે, તે લગ્ન કરવાની હતી. પરંતુ સદનસીબે તે તેનાથી બચી ગઈ. આ વિશે વાત કરતાં સુષ્મિતાએ કહ્યું હતું કે, 'હું મારા જીવનમાં એવા અદ્ભુત લોકો માટે ખૂબ જ આભારી છું. જેમણે મને આગળ વધવા માટે યોગ્ય સમયે છોડી દીધી હતી.
જ્યારે સિમી ગરેવાલે અભિનેત્રીને પુરુષોને લઈ પૂછ્યું તો તેમણે કહ્યું કે, 'તે બધા ખૂબ જ અદ્ભુત લોકો છે. અદ્ભુત પુરુષો છે અને મારા માટે ખૂબ જ ખોટું છે. હું ભાગ્યશાળી રહી છું. એવી ઘણી વખત આવી છે જ્યારે હું ભૂલ કરી શકતી હતી. પરંતુ ક્યાંક કંઈક ખોટું થઈ ગયું. મને કહેવામાં આવ્યું કે આ ખોટું છે. ત્યારબાદ હું મારી ગરિમાની સાથે તેનાથી દૂર જવામાં સફળ રહી.'
સુષ્મિતાએ કહ્યું કે, જેટલા વધારે તમારા સંબંધો હોય છે તેટલા વધારો સંબંધો પણ બને છે. મેં ઘણી વખત પ્રેમ કર્યો અને ગુમાવ્યો છે. જ્યારે ટ્વિંકલ ખન્નાને આપેલા ઈન્ટરવ્યુમાં સુષ્મિતાએ લગ્ન ન કરવા પાછળનું કારણ પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે 'મારા બાળકોને મારા લગ્ન સાથે કોઈ લેવાદેવા નથી. મારા બાળકો ક્યારેય પણ આ બાબતમાં સામેલ થયા નથી. મારા બાળકોએ મારા જીવનમાં આવેલા લોકોનું ખુલ્લા દિલથી સ્વાગત કર્યું છે. દરેકને સમાન પ્રેમ અને સન્માન આપવામાં આવ્યું. આ જોવું એ પોતાનામાં જ એક સુંદર બાબત છે. હાલમાં અભિનેત્રીનું નામ લલિત મોદી સાથે જોડવામાં આવ્યું હતું. પરંતુ બન્નેનું બ્રેકઅપ થઈ ગયું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech