જામનગર જિલ્લા નાં જામજોધપુર તાલુકા ના સમાણા ગામ નાં ચારણ નેસ ઘુના પાસે ઝુપડા માં રહેતા પરિવાર ની બાળકી ને દીપડો ઉઠાવી ગયો હતો પરંતુ બાળકી નાં પિતા જાગી જતાં અને પાછળ દોડતાં બાળકી ને છોડી ને દીપડો નાસી ગયો હતો.જોકે વન વિભાગ દીપડા ની બાબત ને સમર્થેંન આપતું નથી.
જામજોધપુર તાલુકા નાં સમાણા ગામ ની સીમ માં ઝુપડા બાંધી ને ૧૦ થી ૧૨ ચારણ પરિવાર વસવાટ કરે છે. સમણા ગામની સીમ વિસ્તારમાં હોવા થી ત્યાં અવાર નવાર દીપડાઓ અને વન્ય પ્રાણીઓ ની અવરજવર રહે છે.ગઇકાલે વહેલી સવારે તેજાભાઈ ગઢવી અને તેમનો પરિવાર નેશ ની અંદર જ્યારે નિંદ્રા માં હતા. તે દરમિયાન અચાનક બાજુમાં જંગલની ઝાળી ઓ માંથી દીપડા એ હુમલો કરી ઘોડિયામાં સુતી બાળકી પર તરાપ મારી હતી ત્યારબાદ તેજાભાઈ ગઢવી નીંદર માંથી ઉઠી અને દીપડા પર પ્રહાર કરવા જતા દીપડો બાળકી ને મૂકી નાસી છૂટ્યો હતો. તેમજ બાળકીને માથા ના ભાગ પર ઇજા થતાં સારવાર માટે જામનગર જીજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. તેમ તેજાભાઈ ગઢવી ના ભાઈ નેપાળભાઈ ગઢવી દ્વારા જણાવેલ છે.
જો કે જામજોધપુર વન વિભાગ નાં અધિકારી નાં જણાવ્યા મુજબ ગઇકાલે દીપડા અંગે તપાસ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી દીપડા નાં કોઈ સગડ મળ્યા નથી.આથી આ બનાવ મા દીપડો છે કે અન્ય કોઈ પ્રાણી, તેની જાણકારી મેડિકલ રિપોર્ટ મળ્યા પછી જ મળી શકે તેમ છે. આમ છતાં પીંજરા ગોઠવવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech