ટીવીના જાણીતા કલાકાર અમન જયસ્વાલનું રોડ દુર્ઘટનામાં મોત નીપજ્યું છે.અમન જયસ્વાલ 23 વર્ષના હતા. દુર્ઘટના બાદ તેઓને તાત્કાલિક કામા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેઓનું નિધન થયું છે.
એક રિપોર્ટ મુજબ, ધરતીપુત્ર નંદિનીના લેખક ધીરજ મિશ્રાએ અમન જયસ્વાલના નિધનના સમાચારની પુષ્ટિ કરી છે. તેઓનું કહેવું છે કે, અમન જયસ્વાલ ઓડિશન માટે જઈ રહ્યા હતા, ત્યારે જોગેશ્વરી હાઇવે પર તેમની બાઇકને ટ્રકે ટક્કર મારી હતી.
અમન જયસ્વાલ 23 વર્ષના હતા. દુર્ઘટના બાદ તેઓને તાત્કાલિક કામા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેઓનું અવસાન થયું છે. અમન જયસ્વાલ ઉત્તર પ્રદેશના બલિયાના રહેવાસી હતા. તેમના આકસ્મિક અવસાનથી તેમના મિત્રો અને પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, તો તેમના ફેન્સ પણ ખૂબ જ દુઃખી થઈ ગયા છે. આ ઘટનાથી સમગ્ર મનોરંજન ઉદ્યોગ આઘાતમાં છે.
આકાશ ભારદ્વાજનું ભજવ્યું હતું પાત્ર
ધરતીપુત્ર નંદિની શોમાં અમન જયસ્વાલના પાત્રનું નામ આકાશ ભારદ્વાજ હતું. આ શૉ 21 ઓગસ્ટ 2023ના રોજ નઝારા ટીવી પર પ્રીમિયર થયો હતો અને 18 ઓક્ટોબર 2024 સુધી ચાલ્યો હતો. ડીસીટી મૂવીઝ હેઠળ દીપિકા ચિખલિયા દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
આ સિવાય અમન જયસ્વાલે સોની ટીવીના પુણ્યશ્લોક અહલ્યાબાઈમાં યશવંત રાવ ફાંસેનું પાત્ર પણ ભજવ્યું હતું. તેઓ રવિ દુબે અને સરગુન મહેતાના લોકપ્રિય શૉ ઉદારિયાનો પણ ભાગ હતા. અમન જયસ્વાલે તેમના કરિયરની શરૂઆત એક મોડેલ તરીકે કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાણાવાવની સરકારી હોસ્પિટલે ડાયાલીસીસની કામગીરી અંતે થઇ શરૂ
June 09, 2025 02:32 PMજામનગર પંથકમાં ૪ મહિલા સહિત ૩૯ જુગારીઓ ઝડપાયા
June 09, 2025 01:35 PMગુલાબનગરમાં વિદ્યાર્થી પર પૈસાની લેતી દેતીના મામલે હુમલો
June 09, 2025 01:32 PMકોરોના જેટ ગતિએ વઘ્યો: શનિ-રવિમાં વધુ ૧૪ કેસ
June 09, 2025 01:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech