ગુજરાત,દાદરા નગર હવેલી, દમણ અને દીવ નિર્દેશાલયના એડિશનલ ડાયરેક્ટર જનરલ મેજર જનરલ રમેશ શનમુગમના નેતૃત્વ હેઠળ ગુજરાત નિર્દેશાલયનાં એનસીસી કેડેટ્સ નૌકાયન અભિયાન પર નીકળ્યા છે. સૌરાષ્ટ્રની દરિયાઈ સીમારેખામાં એનસીસી દ્વારા સૌપ્રથમ વખત "સૌરાષ્ટ્ર નૌકાયન" નામના આ અભિયાનનું સંચાલન થશે.
અરબ સાગરમાં પોરબંદર થી દિવ સુધી લગભગ 245 કિલોમીટર સુધીનાં આ અભિયાનમાં 75 એનસીસી કેડેટ્સનો એક સમૂહ જેમાં 36 છોકરીઓ અને 39 છોકરાઓ સામેલ છે તેઓ 21 ફેબ્રુઆરી થી એક માર્ચ 2024 સુધી 10 દિવસની સમય મર્યાદામાં આ પડકાર જનક સાહસ ને ઉત્સાહપૂર્વક સંપન્ન કરશે.
ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડ દ્વારા સમર્થિત નૌકાદળ એનસીસીની 27 ફૂટ ડ્રોપ કીલ વ્હેલર નૌકાઓ આ અભિયાનમાં ભાગ લઈ રહી છે.
ગુજરાત નૌસેના ક્ષેત્રના ફ્લેગ ઓફિસર રીયલ એડમિરલ અનિલ જગ્ગીએ કેડેટ્સને ઉત્સાહિત કરવા પ્રેરક સંબોધન કરીને 21 ફેબ્રુઆરી 2024 ના રોજ ઓપચારિક રૂપથી આ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. આ અભિયાનનું કેન્દ્રબિંદુ એ જળ વિસ્તાર છે કે જ્યાં આઈએનએસ ખુકરી પર સવાર સાહસી શહીદોએ 1971 ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પાકિસ્તાનની સબમરીનનો સામનો કરતી વખતે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું .
આઈએનએસ ખુકરી દીવના સમુદ્ર તરફથી 40 નોટિકલ માઈલ દુર જળસમાધિ લીધી હતી, જેમાં 18 અધિકારીઓ અને 176 નાવિકોની પ્રાણોની આહુતિ અપાઈ હતી. આ જહાજના તત્કાલીન કમાન્ડિંગ ઓફિસર કેપ્ટન મહેન્દ્રનાથ મુલ્લા, મહાવીર ચક્ર (મરણોપરાંત) એ નૌકાદળની ઉચ્ચતમ પરંપરાઓને જાળવી અને અદમ્ય સાહસ દાખવીને પોતાના જહાજને સમુદ્રમાં ગરકાવ કરવાનો નિર્ણય લીધો હતો.
આ અભિયાનનો ઉદ્દેશ્ય એનસીસીના કેડેટ્સમાં અનુશાસન, નેતૃત્વ અને એકતાના મૂલ્યો સ્થાપિત કરી તેમને દરિયાઈ સૃષ્ટિ થી પરિચીત કરાવવાનો પણ છે. સ્થાનિકોના સહયોગથી આ અભિયાન અંતર્ગત એનસીસી કેડેટ્સ મહિલા સશક્તિકરણ, પુનિત સાગર સ્વચ્છતા અભિયાન , જલ સંરક્ષણ અને મતદાન અધિકાર જેવા અલગ અલગ વિષયો પર સામાજિક જાગૃતિ લાવવા નુક્કડ નાટક અને રેલીઓ પણ યોજશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલોસ એન્જલસમાં હિંસાની આગ વધુ ભડકી, શા માટે વિરોધ?
June 09, 2025 10:10 AMદ્વારકા પીજીવીસીએલના બે ડીવીઝનમાં કાયમી સ્ટાફની નિમણૂંક કરવા માંગ
June 09, 2025 10:08 AMકોઈ એક સંગઠનને આઝાદી માટે જશ આપી શકાય નહીં : ભાગવત
June 09, 2025 10:08 AMઆ રાજ્યમાં સરકાર વધુ બાળકો પેદા કરવા માટે નાણાકીય સહાય આપશે
June 09, 2025 10:06 AMઓસ્ટ્રેલિયામાં 6 દિવસથી ગુમ હળવદના યુવકની લાશ શંકાસ્પદ અવસ્થામાં મળી
June 09, 2025 10:03 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech