પોરબંદરમાં ઉનાળાના આરંભે જ કેનાલોની સફાઇની કામગીરી શ કરી દેવામાં આવી છે જેથી ખેડૂતોને સિંચાઇનો પૂરતો લાભ મળી શકે ત્યારે બરડાસાગર ડેમની કેનાલની સાફસફાઇની કામગીરી શ થઇ હતી.
પોરબંદર નજીકના બરડાસાગર ડેમમાંથી નીકળતી અને દેગામ, સીમાણી, રીણાવાડા ગામના ખેડૂતોને સિંચાઇનો લાભ આપતી ‘પાંડા-બરડા કેનાલ’ની સાફસફાઇ યાંત્રીક મશીનરી દ્વારા શ કરવામાં આવી છે
તેનું ખાતમુહૂર્ત પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા, પૂર્વ કેબિનેટમંત્રી બાબુભાઇ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ પટેલ, જિલ્લા ભાજપના હોદ્ેદારો, પદાધિકારીઓ, સરપંચો, ખેડૂતમિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ જણાવ્યુ હતુ કે રાજ્યસરકાર પોરબંદર જિલ્લાના ધરતીપુત્રોને પૂરતી સુવિધાઓ આપવા હરહંમેશ કટિબધ્ધ છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ વધુ જળસંચય થાય અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સિંચાઇ માટે પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા પૂરતી મદદ કરવામાં આવી રહી છે અને પોરબંદર જિલ્લાના ધરતીપુત્રોમાં વધુ સમૃધ્ધિ આવે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે તેમ ઉમેર્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજે દ્વારકામાં અખંડ રામધૂનનો ૨૧ હજારમાં દિવસમાં મંગલ પ્રવેશ
June 09, 2025 12:58 PMઅમેરિકામાં ખાદ્ય પદાર્થોમાં ખતરનાક બેક્ટેરિયાનું સંક્રમણ, ઈંડા ખાધા પછી 80થી વધુ બીમાર
June 09, 2025 12:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech