સલાયા લોહાણા મહાજન ઉપપ્રમુખની પેંડાથી કરાતી તુલા
આજરોજ સલાયા પાસે બારા મુકામે શ્રી જમુનેશ મહાપ્રભુજીની બેઠક આવેલ છે. જ્યાં સેવા પૂજા કરતા પૂજ્ય કિશોર અદાના પુત્ર તેજસભાઇને ત્યાં પુત્રનો જન્મ થયેલ હોય જેની નામ નિવેદન વિધિ આજરોજ ઠાકોરજીના આશીર્વાદથી કરવાની હોય સુંદર ખુશી મંગલ મનોરથનું આયોજન કરાયું હતું. જેમાં બહોળી સંખ્યામાં વૈષ્ણવો પધાર્યા હતા.અહીં ઠાકોરજીના કિર્તન અને સ્મરણ સાથે તેજસભાઇના પુત્રનું નામ નિવેદન કરવામાં આવ્યું હતું અને મિશ્રીમાં તુલા કરવામાં આવી હતી. જેમને સર્વે વૈષ્ણવોએ ગોપાલ લાલની જય સાથે વધાવ્યું હતું.
આ સુંદર ધાર્મિક અવસરે સલાયા લોહાણા મહાજનના ઉપપ્રમુખ તથા આ બારા બેઠકમાં સેવામાં અગ્રેસર એવા અરવિંદભાઈ ભાયાણીની પેંડાથી તુલા કરવામાં આવી હતી. આ તકે જલારામ સેવા સમિતિના સભ્યો તેમજ લોહાણા મહાજનના સભ્યો ખાસ હાજર રહ્યા હતા.જ્યાર બાદ સુંદર મંગલ મનોરથનો મહા પ્રસાદ સર્વે વૈષ્ણવોએ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech