મહારાષ્ટ્ર્રમાં મુખ્યમંત્રી પદને લઈને છેલ્લા ઘણાં દિવસોથી હજુ મથામણ ચાલી જ રહી છે ત્યારે ગઇકાલે જ ભાજપે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય પાણી અને નાણામંત્રી નિર્મલા સીતારમણની મહારાષ્ટ્ર્રના નિરીક્ષક તરીકે નિમણૂક કરીને તેમને મુખ્યમંત્રી નક્કી કરવાની જવાબદારી સોંપી હતી. આ દરમિયાન આજે મીડિયા સાથેની વાતચીતમાં પાણીએ ચોખવટ કરી દીધી હતી કે મહારાષ્ટ્ર્રમાં મુખ્યમંત્રી તો ભાજપના જ હશે એવું માં માનવું છે.
નિરીક્ષક બનાવાયા બાદ પાણીએ કહ્યું હતું કે મહારાષ્ટ્ર્રમાં ભાજપના ધારાસભ્ય દળની બેઠક આજે કે આવતીકાલે થઇ શકે છે. મને લાગે છે કે મહારાષ્ટ્ર્રમાં સીએમ તો ભાજપના જ હશે. આ સાથે મહારાષ્ટ્ર્રમાં સીએમ પદને લઈને લાંબા સમયથી ચાલતી ગડમથલનો અતં દેખાતો થઇ રહ્યો છે અને એવું લાગે છે કે દેવેન્દ્ર ફડણવીસને આ પદ મળી શકે છે. મહારાષ્ટ્ર્રમાં મુખ્યમંત્રી પદ મુદ્દે સસ્પેન્સ સતત વધી રહ્યું છે. એવામાં હાલના કાર્યકારી સીએમ એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંતે પોતે ડેપ્યુટી સીએમની રેસમાં હોવાનું નકાયુ છે. તે કેન્દ્રીય સ્તરે પણ કોઈ મંત્રી પદ
લેશે નહીં.
વરિ ભાજપ નેતાએ દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બને તેવી તીવ્ર શકયતાઓ દર્શાવી છે. જો કે, એકનાથ શિંદે રાય સરકારનું અતિ મહત્ત્વનો ગૃહ વિભાગ પોતાને પાસે રાખે તેવો સંકેત શિવસેના આપી રહી છે. ઉલ્લેખનીય છે, મહારાષ્ટ્ર્રમાં મુખ્યમંત્રી પદ માટે ચાલી રહેલી અટકળો વચ્ચે એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદેને ડેપ્યુટી સીએમ બનાવવાના અહેવાલો આવી રહ્યા હતા. તેમજ ગૃહ મંત્રાલય શિવસેના પોતાની પાસે રાખશે તેવા સંકેતો અપાઈ રહ્યા હતા. જો કે, હજી સુધી મહારાષ્ટ્ર્રની સરકાર વિશે કોઈ સ્પષ્ટ્રતા થઈ નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMક્રુડ ઓઇલના ભાવમાં થઈ રહેલો સતત વધારો દુનિયાને દઝાડશે, જાણો આની પાછળના કારણો
June 09, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech