પોરબંદર કલેક્ટર કચેરી ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઇ હતી.જેમાં કલેકટર કચેરી પરિસરની સફાઈ ઝુંબેશમાં જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી સહિતના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.
કલેક્ટરે કચેરી પરિસરની સફાઈ ઝુંબેશ હાથ ધરીને જિલ્લાના નાગરિકોને પોતાનું ઘર, ઓફિસ તેમજ આસપાસના વિસ્તારોને સ્વચ્છ રાખવા માટેનો સંદેશ આપ્યો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ ૧૭મી સપ્ટેમ્બરથી ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાનનો સમગ્ર દેશમાં પ્રારંભ થયો છે. જેના ભાગપે પોરબંદર કલેક્ટર કચેરી ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતગર્ત સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
આ સફાઈ ઝુંબેશમાં કલેકટર એસ.ડી .ધાનાણી, અધિક નિવાસી કલેકટર રાજેન્દ્રસિંહ રાયજાદા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રિયાંક ગરચર સહિતના અધિકારીઓ જોડાયા હતા. કલેકટર કચેરી પરિસરમાં અધિકારી કર્મચારીઓએ ઘાસ,પ્લાસ્ટિક સહિતના કચરોની સાફ સફાઈ કરવામાં આવી હતી અને એકઠો થયેલ કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો.
કલેકટર સહિતના શીર્ષ અધિકારીઓએ કલેક્ટર કચેરી પરિસરની સફાઈ ઝુંબેશ હાથ ધરીને જિલ્લાના નાગરિકોને પોતાનું ઘર, ઓફિસ તેમજ આસપાસના વિસ્તારોને સ્વચ્છ રાખવા માટેનો પ્રેરક સંદેશ આપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech