રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટ માર્કેટ યાર્ડમાં ઉનાળાના આગમન પૂર્વે જ લીંબુના ભાવમાં દાંત ખાટા કરાવી દે તેવો વધારો નોંધાયો છે, હરરાજીમાં પ્રતિ કિલોનો ભાવ ગુણવત્તા અનુસાર .૭૦થી ૧૦૦ સુધી નોંધાયો છે. યારે ટોપ કવોલિટીના લીંબુ પ્રતિ કિલો દીઠ .૧૨૫ના ભાવે વેંચાઇ રહ્યા છે.
વિશેષમાં યાર્ડના શાકભાજી વિભાગના વેપારી સૂત્રોએ જણાવ્યું હતું કે વહેલી સવારે થયેલી હરરાજીમાં કુલ ૩૧,૦૦૦ કિલો લીંબુની આવક થઇ હતી અને તેની સામે પ્રતિ ૨૦ કિલોનો ભાવ .૧૪૦૦થી ૧૯૦૦ સુધી રહ્યો હતો. લીંબુમાં આ વર્ષે પણ ઉત્પાદન ઓછું હોવાને કારણે હજુ જેમ ઉનાળો નજીક આવશે અને લીંબુની માંગ જેમ વધશે તેમ આગામી દિવસોમાં ભાવ હજુ વધશે.
યાર્ડના સ્ટાફના વર્તુળોએ જણાવ્યું હતું કે રાજકોટ માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગમાં હાલ રાજકોટ તાલુકાના સ્થાનિક ગામો ઉપરાંત મોરબી જિલ્લાના ગામો તેમજ અમરેલી અને ભાવનગર પંથકમાંથી લીંબુની આવક થઇ રહી છે. ટૂંક સમયમાં ઉનાળો શ થતાની સાથે ગુજરાત તરફથી લીંબુની આવકો શરૂ થશે.
નિકાસ પ્રતિબધં દૂર થતાં ડુંગળીના ભાવ વધ્યા પણ આવક ઘટી ગઇ
કેન્દ્ર સરકારએ ડુંગળીની નિકાસ ઉપરનો પ્રતિબધં દૂર કરતાની સાથે જ રાજકોટ માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવકમાં ઘટાડો નોંધાયો છે, જો કે ભાવમાં વધારો થયો છે. યાર્ડમાં ૧.૫૦ લાખ કિલો ડુંગળીની આવક સામે પ્રતિ ૨૦ કિલોનો ભાવ વધીને .૧૪૦થી ૩૭૦ સુધી રહ્યો હતો.નિકસબંધી દૂર થતાં હજુ ભાવ વધશે તેવી આશાએ ખેડૂતો માલ વેંચતા ન હોય તેમજ ટોપ કવોલિટીનો જથ્થો નિકાસ થઇ રહ્યો છે. નિકસબંધી અમલી હતી ત્યારે એક તબક્કે લઘુતમ ભાવ .૮૦એ પહોંચ્યા હતા, જે નિકસબંધી દૂર કરાયા બાદ હાલ .૧૪૦એ પહોંચ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 200ને પાર, એક્ટિવ કેસ 1100 થી વધુ
June 09, 2025 09:10 PMLC મેળવતા પહેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આ જાણો! જૂન 2025થી અટક પાછળ લખવી પડશે...
June 09, 2025 08:18 PMધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PM5 ગુનેગાર… 3 રાજ્યોની પોલીસ અને 3 નિવેદનો: કેવી રીતે ગુંચવાઈ રાજા રઘુવંશીના મર્ડરની કહાની?
June 09, 2025 07:52 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech