બેંગલુરુ સ્થિત કંપની પીપલકોના સીઈઓ આશિષ સિંઘલે તાજેતરની લિંક્ડઇન પોસ્ટમાં ભારતના મધ્યમ વર્ગના 'અકથિત સંકટ' તરફ ધ્યાન દોર્યું છે. તેમણે લખ્યું કે છેલ્લા દાયકામાં ફુગાવો સતત વધી રહ્યો છે, પરંતુ ભારતના મધ્યમ વર્ગની આવક લગભગ સ્થિર રહી છે. પરિણામ એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે જેને તેઓ "વેલ ડ્રેસ ડેકલાઈન" કહે છે.ઈએમઆઈ અને લોનના બોજ હેઠળ દબાયેલા મધ્યમ વર્ગના લોકોનો પગાર માત્ર દંભ છે, એક સ્કેમ છે.સિંઘલે પોતાના ડેટા દ્વારા જણાવ્યું કે, છેલ્લા 10 વર્ષમાં વાર્ષિક 5 લાખ રૂપિયાથી ઓછી કમાણી કરનારાઓના પગારમાં માત્ર 4 ટકા સીએજીઆર નો વધારો થયો છે. જ્યારે વાર્ષિક ૫ લાખથી ૧ કરોડ રૂપિયા કમાતા લોકો માટે વૃદ્ધિ માત્ર ૦.૪ ટકા હતી. આ અત્યંત ઓછું છે, ખાસ કરીને જ્યારે ખાદ્યપદાર્થોના ભાવ લગભગ 80 ટકા વધ્યા છે, જેના કારણે ખરીદ શક્તિ અડધી થઈ ગઈ છે.
ઇએમઆઈ, ક્રેડિટ વચ્ચે પીસાય છે દેખાડાનું જીવન
તેમણે કહ્યું કે લોકો હજુ પણ રજાઓ માટે ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા છે, નવા સ્માર્ટફોન ખરીદી રહ્યા છે અને ઇએમઆઈ ચૂકવી રહ્યા છે. પરંતુ આ પાછળની વાસ્તવિકતા ક્રેડિટ પર નિર્ભરતા અને બચત વિનાનું જીવન છે. સિંઘલે લખ્યું, "લોકો ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ મુલતવી રાખી રહ્યા છે, ઝોમેટો પર ઓર્ડર આપતા પહેલા ગણતરીઓ કરી રહ્યા છે, પરંતુ બહારથી બધું બરાબર દેખાય છે."
ઍઆઈ અને ધનિકોના ઉદયથી દબાણ વધ્યું
આ પોસ્ટમાં, સિંઘલે બાહ્ય પરિબળો વિશે પણ વાત કરી જે આ કટોકટીને વધુ ગંભીર બનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે AI ધીમે ધીમે શ્વેત કોલર નોકરીઓ માટે ખતરો બની રહ્યું છે. આ સાથે, સરકારનું સંપૂર્ણ ધ્યાન કલ્યાણકારી યોજનાઓ અને ગરીબ વર્ગો પર છે, જ્યારે મધ્યમ વર્ગને વાતચીતમાંથી સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવ્યો છે. તેનાથી વિપરીત, છેલ્લા દાયકામાં અતિ-ધનવાન વર્ગમાં 7 ગણો વધારો થયો છે. આનો અર્થ એ થયો કે આર્થિક વિકાસનો મોટો હિસ્સો ફક્ત ઉચ્ચ વર્ગને જ જઈ રહ્યો છે.
"મધ્યમ વર્ગ પાસેથી ઘણી અપેક્ષાઓ છે, પણ કોઈ રાહત નથી
સિંઘલે આ પોસ્ટમાં લખ્યું છે કે, "મધ્યમ વર્ગ પાસેથી દેશ ચલાવવાની અપેક્ષા રાખવામાં આવે છે. કર, વપરાશ, રોજગાર, પરંતુ જ્યારે કોઈ સંકટ આવે છે, ત્યારે આ વર્ગ ચૂપચાપ સહન કરે છે. કોઈ ફરિયાદ કરતું નથી, કોઈ રાહત પેકેજ મળતું નથી.મળે છે માત્ર ફક્ત મોંઘવારી, હપ્તા અને માનસિક દબાણ સિંઘલની આ પોસ્ટે સોશિયલ મીડિયા પર વ્યાપક ચર્ચા જગાવી છે. ઘણા લોકોએ આને તેમના જીવનનું સાચું ચિત્ર ગણાવ્યું છે. જ્યારે કોઈ સીઈઓ પોતે આ દબાણનો સ્વીકાર કરે છે અને તેને 'કૌભાંડ' કહે છે, ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ભારતના આર્થિક વિકાસમાં સૌથી વધુ યોગદાન આપનાર વર્ગ આજે સૌથી વધુ અવગણાયેલો બની ગયો છે?
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech