કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનાનો વ્યાપ વધારવાની તૈયારી કરી રહી છે. અત્યારસુધી, દેશની ટોચની 500 કંપનીઓ આ યોજનામાં સામેલ છે, પરંતુ હવે સરકાર તે બધી કંપનીઓને તેમાં સામેલ કરવાની યોજના બનાવી રહી છે, જે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) હેઠળ કામ કરે છે. આનાથી વધુ યુવાનોને ઇન્ટર્નશિપની તકો મળશે. આ માટે મંત્રાલય કેબિનેટ માટે પ્રસ્તાવ તૈયાર કરી રહ્યું છે. સીએસઆર પોર્ટલ મુજબ, વર્ષ 2022-23માં 24,392 કંપનીઓ કોર્પોરેટ સામાજિક જવાબદારી પ્રવૃત્તિઓમાં રોકાયેલી હતી.
ટૂંક સમયમાં આ કંપનીઓ પણ આ યોજનામાં જોડાઈ શકે છે. હાલમાં, સરકારે આ યોજનાને સ્વૈચ્છિક બનાવી છે, એટલે કે ટોચની 500 કંપનીઓ આ યોજનાને સ્વેચ્છાએ અપનાવી શકે છે. અન્ય કંપનીઓએ પ્રોજેક્ટમાં ભાગીદારી કરવા માટે કોર્પોરેટ મંત્રાલયની પરવાનગી લેવી જરૂરી છે.
ઉપરાંત, આ યોજનામાં જોડાવા માટેની વય મર્યાદા પણ ઘટાડી શકાય છે. હાલમાં, આ યોજના 21 થી 24 વર્ષની વયના યુવાનો માટે છે, પરંતુ હવે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (આઈટીઆઈ) અને પોલિટેકનિકમાંથી પાસ આઉટ થનારા યુવાનોને પણ તક આપવામાં આવશે. આનાથી વધુમાં વધુ યુવાનોને કૌશલ્ય વિકાસનો લાભ મળશે. સરકારનું આ પગલું ખાસ કરીને ટિયર-2 અને ટિયર-3 એટલે કે નાના શહેરોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક રહેશે.
આ યોજના અત્યાર સુધી પાયલોટ પ્રોજેક્ટ તરીકે લાગુ કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં ૧.૨૭ લાખ અને બીજા તબક્કામાં ૧.૧૫ લાખ ઇન્ટર્નશિપ ઓફર આપવામાં આવી હતી. આ યોજના હેઠળ, અત્યાર સુધીમાં 28,000 વિદ્યાર્થીઓને ટોચની 500 કંપનીઓ તરફથી ઇન્ટર્નશિપ ઓફર મળી છે, જો કે, અત્યાર સુધીમાં ફક્ત 8,700 વિદ્યાર્થીઓ જ ઇન્ટર્નશિપમાં જોડાયા છે.
યોજનાના લાભો
વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે કામનો અનુભવ મળશે
દર મહિને 5,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ
6,000 રૂપિયાની એક વખતની નાણાકીય સહાય
જીવન વીમો અને અકસ્માત વીમા કવરેજ
કેટલીક કંપનીઓ વધારાનો વીમો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech