કરચલીયાપરામાં રહેતા શખ્સ સામે ઈજાગ્રસ્ત યુવાને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી
શહેરના કરચલીયાપરા અને હાલ કુંભારવાડા, નારી રોડ પર રહેતા યુવાને તેના કરચલીયાપરાના ઘરની બાજુમાં રહેતા શખ્સના પિતાને હાથ ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી કર્યાની દાઝે છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા ગંગા જળીયા પોલીસે તપાસ હાથ ધરી હતી.
શહેરના કરચલીયાપરા, રાંદલમાનો ચોક, આગરીયાવાડ અને હાલ કુંભારવાડા નારી રોડ ખાતરવાડીમાં રહેતા કાર્તિકભાઈ કિશોરભાઈ પરમાર(ઉ. વ. ૨૩)એ તેના કરચલીયાપરાના ઘરની બાજુમાં રહેતો ચિંતન મહેશભાઈ રાઠોડ સામે એવી
ફરિયાદ નોંધાવી હતી કે હુ મારૂ સોપારી કાપવાનુ કામ પુર્ણ કરી કરચલીયા પરા આગરીયા વાડ રાંદલમાંના ચોક ખાતે આવેલ મારા રહેણાંક મકાને ન્હાવા ધોવા માટે ગયેલો ત્યારે મારા ઘરે નળ આવતા હોય જેથી પાણી ભરવા માટે હુ ઘરની બહાર ઉભો હતો ત્યારે અમારી બાજુમાં રહેતો ચિંતન મહેશભાઇ રાઠોડ ત્યાથી નીકળેલો અને મારી પાસે આવી મને જેમફાવે તેમ ભુંડાબોલી ગાળો આપવા લાગેલ જેથી મે તેને કહેલ કે તુ મને ગાળો શુ કામ આપે છો તેમ કહેતા આ ચિંતન એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને મને કહેલ કે તે મારા પપ્પાને ૫૦૦ રૂપિયા ઉછીના આપેલ છે તે વારંવાર શુ કામ માંગ્યા કરે છે તેમ કહિ તેની પા સે રહેલ છરીનો એક ઘા મને ડાબા હાથના બાવડા ઉપર અને બીજો ઘા ડાબા પડખે બગલ પાસે મારી દિધેલ જેથી મને લોહિ નીકળવા લાગેલ અને હુ દેકારો કરવા લાગેલ જેથી મારી ફઈની દિકરી સેજલબેન સંજયભાઇ ચૌહાણ તથા મારા શેઠ ધીરેનભાઇ રાજેશભાઈ મકવાણા આવી ગયેલા અને મને વધુ મારથી બચાવેલ અને આ ચિંતન ત્યાથી જતા જતા મને કહેતો ગયેલ કે આજે તો તુ બચી ગયેલ છો પરંતુ બીજીવાર મળીશ તો તને જીવતો નહિ રહેવા દઉ તેવી ધમકી આપતો ગયેલ અને ત્યારબાદ મને લોહિ નીકળતુ હોય અને હુ ગભરાય ગયેલો હોય જેથી હુ બેભાન જેવો થઇ ગયેલો ત્યા રબાદ મને કોઇ સર.ટી હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા.
કાર્તિકભાઈએ નોંધાવેલી ફરિયાદના આધારે ગંગા જળીયા પોલીસે તપાસ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech