સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાની માણાવદર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીતેલા અરવિંદ લાડાણીએ બુધવારે વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું હતું. લાડાણીએ ભાજપમાં જોડાઈને પેટાચૂંટણી લડવાનો દાવો કર્યો છે.
સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાની માણાવદર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીતેલા અરવિંદ લાડાણીએ બુધવારે વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું હતું. ધારાસભ્ય લાડાણી મંગળવારે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને મળ્યા હતા અને ત્યારબાદ ગાંધીનગર પહોંચ્યા હતા અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. ગુજરાતમાં કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાના પ્રવેશ પહેલા કોંગ્રેસ માટે આ મોટો ફટકો છે.
સતત તૂટી રહ્યા છે કોંગ્રેસના ધારાસભ્યો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ એક પછી એક કોંગ્રેસના ધારાસભ્યો સતત રાજીનામા આપી રહ્યા છે ત્યારે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે જ્યાં સુધી લોકસભાની ચૂંટણીની જાહેરાત ન થાય ત્યાં સુધી રાજ્યમાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા એક રહી જશે.
પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર મંગળવારે ભાજપમાં જોડાયા બાદ બુધવારે રાજુલામાં શક્તિ પ્રદર્શન કર્યું હતું. ધારાસભ્ય લાડાણી અહીં બીજેપી પ્રમુખ સીઆર પાટીલને મળ્યા અને પછી ગાંધીનગર પહોંચ્યા અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું સુપરત કર્યું. તેમના પહેલા સીજે ચાવડા, અર્જુન મોઢવાડિયા જેવા દિગ્ગજ કોંગ્રેસી નેતાઓએ પણ કોંગ્રેસ છોડી દીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech