પોરબંદર મહાનગરપાલિકાનું તંત્ર અસહ્ય વેરા વસૂલી રહ્યું છે અને તેની સામે સુવિધા આપવાની વાત આવે ત્યારે સરકારી બાબુ ઓ અખાડા કરી રહ્યા છે ત્યારે યોગ પ્રેમીઓથી માંડીને વેપારીઓમાં પણ તેની સામે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો ફોર્મ ભરીને પોતાનો વિરોધ પ્રગટ કરી રહ્યા છે.
પોરબંદર નગરપાલિકાને મહાનગરપાલિકામાં અપગ્રેડ કરાયા બાદ શહેરી કરોમાં, ખાસ કરીને હાઉસ ટેક્સમાં દોઢથી બે ગુણો સુધીનો જે વધારાનો પ્રસ્તાવ આવ્યો છે, તે શહેરી સેવાઓની હાલની હકીકત સામે અતીશય અસંગત અને ન્યાયવિહોણો લાગે છે. છેલ્લા ઘણા વર્ષોથી રસ્તાઓ માટે મોટા પાયે કરોડો પિયાનું મૂડીરોકાણ થયંગ હોવા છતાં પણ તેનો ગુણવત્તાવાળો લાભ નાગરિકોને મળ્યો નથી. રસ્તાઓની ત્રીજા દરજજાની કંટાળાજનક ગુણવત્તા, વારંવાર તૂટી પડતા રસ્તા, ખાડા, ધૂળ અને વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા હજુ યથાવત છે
આ સાથે, શહેરમાં કોઈ દૃશ્યમાન ઔદ્યોગિક વૃદ્ધિ કે વ્યવસાયિક ગતિ નથી જોવા મળતી ન તો રોજગારીમાં વધારો થયો છે ન તો સ્થાનિક વેપાર વિકાસ પામ્યો છે.આવા સમયે, જનરલ વોટર ટેક્સ, જનરલ ક્લિનિંગ ચાર્જ, જનરલ સ્ટ્રીટ લાઈટ ટેક્સ, ગટર વેરો, સ્પેશ્યલ ડ્રેનેજ ટેક્સ અને ખાસ સફાઈ વેરા જેવા વિભાગોમાં જે વધુ પડતો કરવધારો સૂચવાયો છે, તે નાગરિકોના દૈનિક જીવન પર સીધો ટેક્સનો બોજ વધારી રહ્યો છે. જિતેન્દ્રભાઈ અને તેમની ટીમ દ્વારા જન જાગૃતિ અભિયાન ના બેનર હેઠળ આ બાબતે તંત્રને અનુપ રજૂઆત કરવામાં આવી છે, જેને વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. સુતારવાડા વિસ્તારમાં બ મુલાકાત લઈ વેપારીઓને જાગૃત કરવામાં આવ્યા હતા, અને તેમની તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યા હતા. મહારાણા નટવર સિંહજી ઉદ્યાન માં યોગ ક્લાસમાં મહાનગરપાલિકા દ્વારા જે જાહેર જનતા ઉપર અસહ્ય વેરો ઝીંકવામાં આવ્યો છે તેના વિરોધ પે દરેકને વિરોધ કઈ રીતે પ્રદર્શિત કરવો તેનો તેનો વાંધા અરજીનું ફોર્મ દરેકને આપી અને તે લોકોનો પણ જબરો પ્રતિસાદ મળ્યો. કારણ કે દરેકને ડબલ અથવા તેથી પણ વધારે ઝીંકવામાં આવેલ છે. વિશેષ કરીને એફ.એમ.સી.જી. હોલસેલ એસોસિએશન, કટલેરી એસોસિએશન, ડિસ્ટ્રિબ્યુટર એસોસિએશન, કરિયાણા એસોસિએશન , પાન મસાલા એસોસિએશન અને સોની સમાજ તરફથી પણ આ વધારાના વિરોધમાં એકમત સમર્થન મળી રહેલું છે.
જેથી વેરાના આ ભારના હેતુને સમજાવી શકાય અને મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા વિના આકસ્મિક રીતે લાદવામાં આવેલ ટેક્સનો વિરોધ વ્યાપક બને. અંતે, અમલદારો અને શાસનકારો સમક્ષ અરજ છે કે:મૂળભૂત શહેરી સેવાઓમાં દૃશ્યમાન સુધારા કર્યા વિના આવો ટેક્સ વધારો ન્યાયસંગત નથી. આમ, નીતિ સ્તરે તાત્કાલિક પુનર્વિચાર કરવામાં આવે અને આ કરવધારો રદ કરવામાં આવે, જેથી નાગરિકોને અને સ્થાનિક વેપારધંધાને રાહત મળી શકે. કારણ કે નાગરિકો કોઈ પ્રકારના વિકાસનો અનુભવ કર્યા વિના ટેક્સનો ભાર સહન કરવામાં અસહાય બની રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech