તમે પણ ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. તમે ટિકિટ બુક કરો છો અને ટિકિટ કન્ફર્મ નથી થતી, તો કેટલીક એપ્સ એવી છે, જેની મદદથી તમારી ટિકિટ પાક્કી થઈ જશે અને માની લો કે ટિકિટ કન્ફર્મ ન થઈ તો તમને ૩ ગણુ રિફંડ મળી જશે.
ઉનાળાની રજાઓ અને તહેવારોના સમયમાં ટ્રેન ટિકિટની વેઇટિંગ લિસ્ટ પ્રવાસીઓ માટે માથાનો દુખાવો બની જાય છે. પરંતુ હવે Ixigo, RedBus અને MakeMyTrip જેવા મુખ્ય ટ્રાવેલ પ્લેટફોર્મ્સે આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો છે. આ પ્લેટફોર્મ્સ ‘ટિકિટ કન્ફર્મેશન એશ્યોરન્સ’ નામની એક નવી સુવિધા લઈને આવ્યા છે, જે વેઇટિંગ લિસ્ટવાળા ટિકિટો માટે ત્રણ ગણા સુધી રિફંડની ગેરંટી આપે છે.
આ નવી સુવિધા હેઠળ પ્રવાસી ટિકિટ બુકિંગ સમયે એક ઓપ્શનલ ‘એશ્યોરન્સ’ સિલેક્ટ કરી શકે છે. જો તેમની ટિકિટ ચાર્ટ તૈયાર થવા સુધી કન્ફર્મ ન થાય, તો તેમને કાં તો વૈકલ્પિક કન્ફર્મ્ડ યાત્રા વિકલ્પ મળશે. ત્યાં જ, જો ટિકિટ ન મળી શકે તો ત્રણ ગણા સુધી રિફંડ મળશે.
- Ixigo બે કે ત્રણ ગણા રિફંડનો વિકલ્પ આપે છે.
- RedBus ટ્રેન ટિકિટ કન્ફર્મ ન થવા પર આપોઆપ બસ ટિકિટ બુક કરવાનો પ્રયાસ કરે છે.
- MakeMyTrip પ્રવાસીઓને રિફંડ અથવા ઉપલબ્ધતાના આધારે વૈકલ્પિક મુસાફરીનો વિકલ્પ પૂરો પાડે છે.
જોકે, આ સુવિધા માટે એક વધારાની ‘એશ્યોરન્સ ફી’ ચૂકવવી પડે છે, જે ટિકિટના પ્રકાર, મુસાફરીની તારીખ અને પ્લેટફોર્મ પર નિર્ભર કરે છે. આ ફી ટિકિટ કન્ફર્મ થવા પર પણ પાછી આપવામાં આવતી નથી.
ભારતીય રેલવે (IRCTC) ના આંકડા અનુસાર, ખાસ કરીને રજાઓ અને તહેવારો દરમિયાન હજારો પ્રવાસીઓ અનકન્ફર્મ્ડ ટિકિટોને કારણે પરેશાન રહે છે. આવા સમયે આ સુવિધા પ્રવાસીઓ માટે વરદાન સાબિત થઈ શકે છે.
ત્રણ ગણું રિફંડ કેવી રીતે?
આ એપ્સ દ્વારા ટ્રાવેલ બુકિંગ કરવા પર તમને ૩ ગણો નિશ્ચિત રિફંડ મળી શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે આ એપ્સ દ્વારા ₹૧,૦૦૦ ની ટિકિટ બુકિંગ કરી છે, તો તમને કુલ ₹૩,૦૦૦ સુધીનો રિફંડ મળી શકે છે. જોકે, આના પણ કેટલાક નિયમો છે. જેમ કે રિફંડ અને વૈકલ્પિક ટિકિટ નિયમો અનુસાર નક્કી થાય છે. જો તમે કન્ફર્મેશન માટે ફી ચૂકવી છે, તો તે રદ થવા પછી પાછી નહીં મળે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા પીજીવીસીએલના બે ડીવીઝનમાં કાયમી સ્ટાફની નિમણૂંક કરવા માંગ
June 09, 2025 10:08 AMકોઈ એક સંગઠનને આઝાદી માટે જશ આપી શકાય નહીં : ભાગવત
June 09, 2025 10:08 AMઆ રાજ્યમાં સરકાર વધુ બાળકો પેદા કરવા માટે નાણાકીય સહાય આપશે
June 09, 2025 10:06 AMઓસ્ટ્રેલિયામાં 6 દિવસથી ગુમ હળવદના યુવકની લાશ શંકાસ્પદ અવસ્થામાં મળી
June 09, 2025 10:03 AMવડત્રા પોલીસ મથક હરીયાળુ બનશે, પટાંગણમાં 50 વૃક્ષોનું આરોપણ
June 09, 2025 09:47 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech