રાણાવાવના વાગડીયાવાસમાં સ્મશાન પાછળ જુગાર રમતા ત્રણ શખ્શ ઝડપાયા હતા જ્યારે એક શખ્શ નાશી ગયો હતો. આ ત્રણેય ઇસમ હાથબત્તીના અજવાળે પત્તા ટીંચતા હોવાનું બહાર આવ્યુ હતુ. રાણાવાવ પોલીસમથકના કોન્સ્ટેબલ જયમલભાઇ સામતભાઇ મોઢવાડીયા દ્વારા એવી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે રાત્રિના સમયે નાઇટપેટ્રોલીંગમાં પોલીસની ટીમ હતી ત્યારે એવી માહિતી મળી હતી કે વાગડીયાવાસના સ્મશાન પાછળ ગોવાણીધાર તરફ જતા રસ્તે કેટલાક ઇસમો હાથબત્તીના અજવાળે જુગાર રમી રહ્યા છે તેથી પોલીસે તાત્કાલિક ત્યાં જઇને દરોડો પાડતા મૂળ જામરાવલ તથા હાલ વનાણા રહેતા સંજય કરશન પરમાર, મૂળ જામરાવલ તથા હાલ ગોવાણીધામમાં રહેતા સુરેશ બાબુ સોલંકી, મૂળ જામરાવલ તથા હાલ ગોવાણીધામમાં રહેતા રામા કારા જમોડને પકડીને ૧૪,૪૦૦ની રોકડ કબ્જે કરી હતી. જુગાર દરોડા દરમ્યાન કાજાવદરીનો અરવિંદચૌહાણ નાશી ગયો હતો જેથી પોલીસે તેની સામે પણ ગુન્હો નોંધીને શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech