જામજોધપુર માર્કેટિંગ યાર્ડની એક વેપારી પેઢી કાચી પડી હતી, અને સતાપર ગામના પાંચ ખેડૂતોની પિયા ૩૨ લાખની જણસ મેળવી લીધા પછી તેની રકમ નહીં ચૂકવી વેપારી પિતા– પુત્ર, અને ભાઈ, કે જેઓ પોતાના ધંધા ના સ્થળ અને મકાનને તાળા મારીને ભાગી છૂટા હતા, જેથી ત્રણેય સામે છેતરપિંડી અંગેની જામજોધપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી, જે ત્રણેય આરોપીઓ જામજોધપુર પોલીસ મથકે હાજર થતાં પોલીસ દ્રારા અટકાયત કરી લઇ ૬ દિવસના રિમાન્ડ પર લેવાયા હતા.
રિમાન્ડ દરમિયાન પોલીસે ૮૫ હજારની રોકડ કબજે કરી છે, યારે છ બેંક ખાતા સિઝ કરાવ્યા છે, તેમજ એક ખાતામાં ૩૦,૦૦૦ ની રોકડ રકમ ફ્રીજ કરાવી છે, અને લોકર પણ સીલ કરાવ્યું છે. વેપારીઓની પેઢી અને રહેણાક મકાન, કે જે બંને પર બેંકમાંથી ધિરાણ મેળવાયું હોવાનું પોલીસ તપાસમાં ધ્યાનમાં આવ્યું છે. જેઓની રિમાન્ડની મુદત પૂરી થતાં ત્રણેયને જેલમાં ધકેલી દેવાયા છે.
જામજોધપુર ના માર્કેટિંગ યાર્ડમાં આવેલી વિઠલાણી બ્રધર્સ નામની વર્ષેા જૂની પેઢી, તથા તેની સાથે સંયુકતમાં આવેલી અલગ અલગ બે પેઢી કે જેઓના સંચાલક રમેશભાઈ મથુરાદાસ વિઠલાણી, અને ગોપાલભાઈ મથુરાદાસ વીઠલાણી નામના બે ભાઈઓ તેમજ રમેશભાઈના પુત્ર કિસન રમેશભાઈ વિઠલાણી કે જેઓએ જામજોધપુર તાલુકાના સતાપર ગામના કેટલાક ખેડૂતોની ૩૨ લાખ જેટલી જણસ ની રકમ ચૂકવ્યા વિના પેઢીને તાળા મારીને ભાગી છુટયા હોવાથી ત્રણેય સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવાઈ હતી.
જે આરોપીઓના મોબાઇલ ફોન સ્વીચ ઓફ થઈ ગયા હતા, યારે ધરના પણ સભ્યો પોતાના મકાન પર તાળા મારીને લાપત્તા થયા હતા, દરમિયાન ગત ૮મી તારીખે તેઓ સામેથી હાજર થયા હતા, જેથી પીએસઆઇ હિતેન વડાવીયા તેમજ તેઓની ટીમ દ્રારા ત્રણેય ની અટકાયત કરી લઈ ત્રણેયના નિવેદનો નોંધવાનું શ કયુ હતું, અને અદાલત સમક્ષ રજૂ કરી ૬ દિવસના રિમાન્ડ પર લીધા હતા.
જે રિમાન્ડ દરમિયાન પોલીસ દ્રારા જુદી જુદી કાર્યવાહીઓ કરવામાં આવી હતી. પોલીસે ત્રણેય આરોપીઓ પાસેથી ૮૫૦૦૦ની રોકડ રકમ કબજે કરી છે, ઉપરાંત તેઓના એક બેંક ખાતામાં ૩૦,૦૦૦ ની રોકડ રકમ જમા પડી હતી. જે રકમ ફ્રીજ કરાવી છે, અને ત્રણેયના કુલ છ બેંક ખાતાઓ સ્થગિત કરાવ્યા છે.
ઉપરાંત એક વર્ષેા જૂનું બેંક લોકર, કે જેને પણ સીલ કરાવી દેવાયું છે.
પોલીસ દ્રારા તેના રહેણાંક મકાન અને દુકાન અંગેની તપાસણી કરતાં ત્રણેય વેપારીઓ દ્રારા મકાન અને માર્કેટિંગ યાર્ડ વાળી દુકાન કે જેના ઉપર ધિરાણ મેળવી લીધું હોવાનું, અને તે બંને મિલકતો બેંક પાસે ગીરવે મુકાયેલી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ દ્રારા તેની ઘનિ પૂછપરછ કરવામાં આવતાં ખેડૂતોની તમામ જણસ તેણે સૌરાષ્ટ્ર્રના જુદા જુદા શહેરના વેપારીઓને વેચી મારી હોવાની કબૂલાત આપી હતી.
જેથી પોલીસ ટુકડી ત્રણેયને લઈને રાજકોટ– ઉપલેટા–જુનાગઢ સહિતના અલગ અલગ સેન્ટરોમાં ગઈ હતી, અને ત્યાંના સ્થાનિક વેપારીઓના નિવેદનો નોંધ્યા હતા. જોકે તમામ વેપારીઓ દ્રારા ખેડૂતોની જણશ ની ખરીદી કર્યા બાદ તેના પેમેન્ટ કરી દીધા હોવાનું અને કોઈ પણ પ્રકારનું લેણું બાકી ન હોવાનું જણાવ્યું હતું. ત્રણેય વેપારીઓની ગઈકાલે રિમાન્ડની મુદત પૂરી થતાં ફરીથી અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જયાં અદાલતે ત્રણેયને જેલમાં ધકેલી દેવાનો હત્પકમ કર્યેા છે, અને ત્રણેયને જામનગરની જિલ્લ ા જેલમાં મોકલી દેવામાં આવ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech