કાલાવડ અને જામજોધપુર તાલુકામાં યોજાયેલ તાલીમોમાં ૨૬૮ જેટલા તાલીમાર્થીઓએ ભાગ લીધો
બાગાયત નિયામકની કચેરી દ્વારા સમગ્ર રાજ્યમાં આપણો તાલુકો, બાગાયત તાલુકો “ગ્રો મોર ફ્રુટ ક્રોપ" અભિયાન હેઠળ બાગાયત ખાતાની યોજનાઓના અને પ્રાકૃતિક ખેતીના પ્રચાર પસાર માટે કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે નાયબ બાગાયત નિયામક જી.જે.કાતરીયા દ્વારા જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના મોટી નાગાઝર ગામે અને જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
તાલીમમાં અધિકારી દ્વારા "ગ્રો મોર ફ્રુટ ક્રોપ “અભિયાન હેઠળ બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓ, બાગાયતી પાકોની ખેતી પધ્ધતી તેમજ ફળપાકના વાવેતર અને પ્રાકૃતિક ખેતી પધ્ધતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમોમાં ૨૬૮ જેટલા તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં બાગાયત નિયામક, ગાંધીનગર વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. તથા આત્માના પ્રોજેકટ ડાયરેક્ટર, બાજરા સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિક, બાગાયત અધિકારી વાય. એ. ડેર સહીતના અધિકારીઓ, કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.