જેતપુરમાં દેરડીની ધાર આવાસ ક્વાર્ટરમાં રહેતાં તરૂણભાઇ ઉર્ફે અંદા પ્રભાશંકર કનૈયા (ઉ.વ.૫૦) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ સાડીના કારખાનામાં મજુરી કામ કરે છે. તેમજ દેરડીધાર આવાસ યોજનામાં હોલની પાછળ જય મંગળેશ્વર મહાદેવ નામનું શંકર ભગવાનનું મંદિર આવેલ છે. જે મંદિરની દેખરેખનું કામ કરે છે.
ગઇ તા.૧૪/૦૫ ના તેઓ સાડીના કારખાનામાં કામ કરતાં હતાં ત્યારે સાંજના સમયે આવાસ યોજનામાં રહેતા ભરતભાઈ નાથાલાલ પરમારએ આવી વાત કરી હતી કે, આપણા જય મંગળેશ્વર મહાદેવના મંદિરમાં તોડફોડ થયેલ છે. શંકર ભગવાનના પોઠીયા (નંદી)ની પ્રતિમાનું મુખ તોડી નાખેલ છે તેમજ મંદિરની બહાર કાળભૈરવ દાદાની પથ્થરની જે મુર્તિ છે તેને ત્યાંથી કાઢીને બીજી જગ્યાએ રાખી દિધેલ છે, તેમ વાત કરતા તેઓ જય મંગળેશ્વર મહાદેવ મંદિર ખાતે ગયેલ અને જોયુ તો ત્યાં મંદિરમાં જે શંકર ભગવાનના પોઠીયા (નંદી)ની ચીનાઇ માટીની પ્રતિમા હતી તેનું મુખ તોડી નાખેલ હતુ. તેમજ કાળભૈરવ દાદાની પથ્થરની મુર્તિ પણ તેની જગ્યા ઉપર ન હતી. મુર્તિને તેની જગ્યાએથી કાઢીની બાજુમાં દિવાલ સાથે રાખી દિધેલ હતી.
મંદિરમાં જે ગૌવમુખ હોય તે પણ તોડી નાખ્યું હતું. મંદિરમાં પુજાપાઠ કરતા સવિતાબેનના દિકરા શૈલેષભાઈ જવેરભાઇ ગોસાઈ વાત કરી હતી કે, આજે સાંજના ચાર વાગ્યાથી સાડા ચાર વાગ્યા સુધી મારા મમ્મી અહીં મંદિરમાં ભોળાનાથની પુજા ઉતારવા (પખાલ) આવેલ હતા. ત્યારે કોઇ તોડફોડ થયેલ ન હતી.આમ ત્યાર બાદ કોઇ અજાણ્યો શખ્સ મંદિરમાં તોડફોડ કરી હોવાનું માલુમ પડયું હતું.આ અંગે જેતપુર તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. મંદિરમા મૂતિ ખંડિત કરવાની આ ઘટનાને લઇ ભાવિકોમાં ભારે રોષની લાગણી ફેલાઇ જવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech