અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ દુઃખદ નિધન થયું છે. આજે 70 કલાક બાદ તેમના DNA મેચ થયાની હર્ષ સંઘવીએ સત્તાવાર જાહેરાત કરી છે. હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આજે સવારે 11:10 વાગ્યે વિજયભાઈના DNA મેચ થયા છે.
ઉલ્લેખનીય છે કે, 12 જૂનની બપોરે 1 વાગ્ચેને 40 મિનિટે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતું પ્લેન ક્રેશ થયું હતુ. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સીટ નંબર 2D પર બેઠા હતા. આ ભયંકર પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીનું નિધન થયું હતું.
પરિવારના અન્ય લોકો બાય રોડ રાજકોટ પહોંચશે
પરિવાર ચાર્ટર પ્લેન મારફત હિરાસર એરપોર્ટ પહોંચશે. 17 સીટિંગની કેપેસિટીવાળા ચાર્ટર પ્લેનમાં પરિવારજનો રાજકોટ આવશે. અન્ય લોકો બાય રોડ રાજકોટ પહોંચશે.
પાર્થિવદેહ ગ્રીનલેન્ડ ચોકથી ઘરે લવાશે
પાર્થિવદેહ સાથેની શબવાહિની ગ્રીન લેન્ડ ચોકથી કુવાડવા રોડ ડી-માર્ટ ચોક, રણછોડદાસ આશ્રમ, ડિલક્ષ ચોક, પારેવડી ચોક, કેસરી હિન્દ પુલ બેડીનાકા જતા, હોસ્પિટલ ચોક ઓવરબ્રિજ ઉપર, અરવિંદભાઇ મણિયાર હોલ, ચૌધરી હાઇસ્કુલ ચોક, ધરમ સિનેમા (આર.વર્લ્ડ), બહુમાળી ભવન ચોક, જીલ્લા પંચાયત ચોક, કિશનપરા ચોક, આમ્રપાલી અંડરબ્રિજ રેસકોર્ષ, રૈયારોડ, આઝાદ ચોક, નરેન્દ્રપારેખ માર્ગ, હનુમાનમઢી ચોક, નિર્મળા રોડ, નાગનાથ મહાદેવ મંદિરથી પ્રકાશ સોસાયટી લાવવામાં આવશે.
વિજય રૂપાણીની અંતિમ યાત્રાને લઇને પોલીસનું જાહેરનામું
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાર્થિવ દેહને અમદાવાદથી એમ્બ્યુલન્સ દ્વારા ગ્રીન લેન્ડ ચોક લાવી ત્યાંથી ખાસ તૈયાર કરવામાં આવેલ શબવાહિનીમાં રાખી તેમના નિવાસ સ્થાન પ્રકાશ સોસાયટી ખાતે લાવવામાં આવશે. આ દરમિયાન શબવાહિની પસાર થવાના એક કલાક પહેલા તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ અને "નો-પાર્કિંગ" જાહેર કરવામાં આવેલ છે.
આ જાહેરનામું ફરજ પરના પોલીસના વાહનો, એમ્બ્યુલન્સ, શબવાહિની, ફાયર બ્રિગેડના વાહનો તેમજ સરકારી વાહનોને આકસ્મિક સંજોગોમાં લાગુ પડશે નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદ વિમાન દુર્ઘટના: DNA સેમ્પલ મેચનો આંક 80 થયો, 33 મૃતદેહ પરિવારને સોંપાયા
June 15, 2025 11:39 PMગુજરાતના પનોતા પુત્રને વિદાય: રૂપાણીના નિધનથી રાજકીય શોક
June 15, 2025 08:53 PMઅમદાવાદ વિમાન દુર્ઘટના RATને કારણે થઈ! ભૂતપૂર્વ યુએસ નેવી પાઇલટે કર્યો ખુલાસો
June 15, 2025 06:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech