શહેરી વિકાસ વર્ષની ઉજવણી વચ્ચે રાષ્ટ્ર્રીય વસતી ગણતરીનો કાર્યક્રમ જાહેર થયો છે ત્યારે સૌરાષ્ટ્ર્રના પાટનગર સમા રંગીલા રાજકોટ શહેરની વસતી કેટલી હશે ? તે સવાલ ચર્ચામાં છે. અલબત્ત હાલ તો સૌ એવું માની રહ્યા છે કે રાજકોટની વસતી ૨૦ લાખ આજુબાજુ પહોંચી ગઇ છે, અલબત્ત એક બૌધ્ધિક વર્ગનું માનવું એવું છે કે રાજકોટ શહેરની વસતી ૨૦ લાખ નહીં પરંતુ આઉટર ગ્રોથ સહિત ૨૫ લાખ કે તેથી પણ વધુ છે. છેલ્લે વર્ષ–૨૦૧૧માં વસતી ગણતરી થઇ ત્યારે રાજકોટ શહેરની વસતી ૧૩,૯૦,૬૪૦ હતી, હવે ૧૪ વર્ષ પછી ૨૦૨૫માં વસતી ગણતરી શ થશે અને પૂર્ણ થશે ત્યારે જ રાજકોટ શહેરની વસતીનો સાચો આકં સામે આવશે.
રાજકોટ શહેરની વસતી વધવા પાછળનું મુખ્ય પરિબળ રાજકોટનું ભૌગોલિક સ્થાન છે, સૌરાષ્ટ્ર્રની બરાબર મધ્યમાં આવેલું રાજકોટ શહેર એટલે જ તો સૌરાષ્ટ્ર્રનું પાટનગર ગણાય છે. રોજગાર, શિક્ષણ, આરોગ્ય સુવિધાઓ તેમજ અન્ય વિવિધ સામાજિક કારણોસર દરરોજ અનેક ઇમિગ્રન્ટસ રાજકોટમાં ઠલવાઇ રહ્યા છે. આ બાબત પણ રાજકોટની વસતી વધવા પાછળનું એક મહત્વનું કારણ છે. શહેરીકરણની દોડની સૌરાષ્ટ્ર્રમાં સૌથી વધુ અસર રાજકોટમાં વર્તાઇ છે. સૌરાષ્ટ્ર્રના અન્ય શહેરો અને ગામડાઓના લોકો સહપરિવાર રાજકોટમાં ઠલવાઇ રહ્યા છે સાથે સાથે રાજકોટનો વ્યાપ વધી રહ્યો છે.
છેલ્લા ૨૭ વર્ષમાં રાજકોટ શહેરની ભાગોળેના ૧૦ ગામો રાજકોટની હદમાં ભળી ગયા છે ત્યારબાદ હજુ પણ રાજકોટ વિકસતું જાય છે. સૌપ્રથમ વર્ષ–૧૯૯૮–૯૯માં નાના મવા, રૈયા અને મવડી ગામ રાજકોટમાં ભળ્યા, ત્યારબાદ ૨૦૧૫–૧૬માં વાવડી અને કોઠારીયા ગામ રાજકોટમાં ભળ્યા. છેલ્લે ૨૦૨૦માં મોટા મવા, મુંજકા, માધાપર, મનહરપુર–૧ (પાર્ટ) અને ઘંટેશ્વર સહિતના પાંચ ગામો રાજકોટમાં ભળ્યા. હજુ પણ રાજકોટની ભાગોળેના અનેક ગામો રાજકોટની હદમાં ભળી શકે તેટલી ઝડપથી વિકાસ થઇ રહ્યો છે.
રાજકોટ શહેરમાં છેલ્લે ૨૦૧૧માં વસતી ગણતરી થઇ હતી ત્યારબાદ ૨૦૨૧માં થનાર હતી પરંતુ કોવિડ–૧૯ના કારણે રાષ્ટ્ર્રીય વસતી ગણતરીનો કાર્યક્રમ મોકૂફ રહ્યો હતો જે હવે આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે તેવું તાજેતરમાં કેન્દ્રએ જાહેર કયુ છે. ૨૦૧૧ની સ્થિતિએ રાજકોટની વસતી ૧૩,૯૦,૬૪૦ હતી. ૨૦૧૧થી ૨૦૨૫ સુધીના ૧૪ વર્ષમાં રાજકોટની વસતીમાં દર વર્ષે ૫૦ હજારનો વધારો થયો હોય તેવો અંદાજ લગાવાય તો પણ રાજકોટની રાજકોટની વસતી ૨૦ લાખને પાર પહોંચી ગઇ હોય તેમ કહેવામાં અતિશયોકિત નથી
રાજકોટ મહાપાલિકાની વોર્ડવાઇઝ વસ્તી
વોર્ડ મુખ્ય વિસ્તારવસતી
૧.૧૫૦ ફટ રોડ, ગાંધીગ્રામ, રૈયા, ઘંટેશ્વર ૭૪૨૯૦
૨.રૈયા રોડ, એરપોર્ટ રોડ, રેસકોર્સ રિંગ રોડ ૭૦૧૪૩
૩.જામનગર રોડ,માધાપર, મનહરપુર–૧ ૭૪૩૩૫
૪.મોરબી રોડ ૭૨૨૮૭
૫.કુવાડવા રોડ ૭૦૫૮૩
૬.પેડક રોડ, ભાવનગર રોડ, સંતકબીર રોડ ૬૯૨૩૯
૭.યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ, ઢેબર રોડ, ટાગોર માર્ગ ૮૦૦૧૬
૮.કાલાવડ રોડ, અમિન માર્ગ, નાના મવા ૭૮૮૬૬
૯.૧૫૦ ફટ રોડ, યુનિ.રોડ, સાધુ વાસવાણી માર્ગ, રૈયા, મુંજકા ૭૬૨૭૦
૧૦.કાલાવડ રોડ, યુનિ.રોડ, નિર્મલા રોડ ૭૪૫૨૭
૧૧.કાલાવડ રોડ, મવડી, મોટા મવા ૭૩૨૯૭
૧૨.૧૫૦ ફટ રોડ, મવડી, વાવડી ૭૪૧૯૦
૧૩.ગોંડલ રોડ, મવડી ૮૦૫૭૦
૧૪. કેનાલ રોડ, પેલેસ રોડ, ઢેબર રોડ ૭૭૬૨૫
૧૫.ભાવનગર રોડ, દૂધસાગર માર્ગ ૬૭૮૫૭
૧૬.સોરઠિયાવાડી, જંગલેશ્વર, કોઠારીયા રોડ ૭૪૭૦૧
૧૭. કોઠારીયા રોડ, હરિ ધવા માર્ગ ૭૮૭૩૯
૧૮. કોઠારીયા ગામ તળ ૭૮૬૫
રાજકોટની વસ્તી કયારે કેટલી?
વર્ષ જનસંખ્યા
૧૯૫૧ ૧,૩૪,૦૦૦
૧૯૬૧ ૧,૯૭,૦૦૦
૧૯૭૧ ૩,૦૪,૦૦૦
૧૯૮૧ ૪,૫૧,૦૦૦
૧૯૯૧ ૬,૬૪,૦૦૦
૨૦૦૧ ૧૦,૧૪,૦૦૦
૨૦૧૧ ૧૩,૯૦,૬૪૦
૨૦૨૫ ?
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસ્ટેટ લાયબ્રેરી ખાતે સમર કેમ્પનું વેકેશનના છેલ્લા દિવસે થયું સમાપન
June 09, 2025 02:47 PMઅગ્નિવિરની તાલીમ પુર્ણ કરી પરત ફરેલા બે યુવાનોનું થયું અભિવાદન
June 09, 2025 02:46 PMપોરબંદરમાં વિનામુલ્યે પાઠ્યપુસ્તકનું થયું વિતરણ
June 09, 2025 02:45 PMવિશ્ર્વ મહાસાગર દિવસ નિમિત્તે યોજાયું સાગરકાંઠે સફાઈ અભિયાન
June 09, 2025 02:45 PMવિધાનસભાના અધ્યક્ષે પોરબંદરના ધારાસભ્યની માણી મહેમાનગતિ
June 09, 2025 02:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech