જ્યારે મેં આંખો ખોલી ત્યારે ચારે બાજુ લાશો હતી: વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા એક વ્યક્તિએ વર્ણવી હચમચાવી દેનારી હકીકત

  • June 12, 2025 08:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું. આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. વિમાનમાં 242 મુસાફરો હતા. માહિતી અનુસાર, વિમાનમાં સવાર 241 લોકોના મોત થયા હતા.
 અહેવાલ મુજબ, આ અકસ્માતમાં એક મુસાફર બચી ગયો છે. તેનું નામ રમેશ વિશ્વાસ કુમાર ભાલીયા જણાવવામાં આવી રહ્યું છે.

તેમણે કહ્યું, જ્યારે મેં આંખો ખોલી ત્યારે ચારે બાજુ મૃતદેહો હતા. હું ડરી ગયો. આ પછી હું ઉભો થયો અને દોડવા લાગ્યો. તેમણે વધુમાં કહ્યું કે ટેકઓફ થયાના લગભગ 30 સેકન્ડ પછી, એક જોરદાર અવાજ આવ્યો અને પછી વિમાન જમીન સાથે અથડાયું. બધું એટલું ઝડપથી બન્યું કે સમજવાનો સમય જ નહોતો. રમેશને છાતી, આંખો અને પગમાં ગંભીર ઈજાઓ થઈ છે.

તે હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેનું નામ રમેશ વિશ્વાસ કુમાર ભાલીયા હોવાનું કહેવાય છે. તે સીટ 11A પર મુસાફરી કરી રહ્યો હતો. આ માહિતી અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application