70ના દાયકામાં જો કોઈની લવ સ્ટોરી ચર્ચામાં હતી તો તે રેખા અને અમિતાભ બચ્ચનની લવ સ્ટોરી હતી. ભલે તેમની પ્રેમ કહાની પૂરી ન થઇ શકી પરંતુ આજે પણ તેમના સંબંધોની ચર્ચા થાય છે. જ્યારે બંને એકબીજાને ડેટ કરી રહ્યા હતા ત્યારથી ઘણી વાતો સામે આવી છે.
એક ઘટના એવી પણ છે જ્યારે જયાએ રેખા અને અમિતાભ બચ્ચનને મળવા પર પ્રતિબંધ મૂક્યો હતો અને રેખા ગુપ્ત રીતે બિગ બીને મળવા હોસ્પિટલ ગઈ હતી. જયા બચ્ચન પણ અમિતાભ બચ્ચન અને રેખા સાથે ફિલ્મ 'સિલસિલા'માં જોવા મળી હતી. આ ફિલ્મના શૂટિંગ પહેલા જ જયાને અમિતાભ અને રેખા વચ્ચેના અફેરની ખબર પડી હતી. ત્યારે સવાલ એ છે કે તે આ ફિલ્મ કરવા માટે કેવી રીતે રાજી થયા?
આ રીતે જયા બચ્ચન 'સિલસિલા' માટે સંમત થયા
યશ ચોપરા 1980માં આવેલી ફિલ્મ 'સિલસિલા' બનાવી રહ્યા હતા અને તેમણે અમિતાભને આ ફિલ્મ માટે જયાને મનાવવા માટે કહ્યું હતું. જ્યારે બિગ બીએ જયા સાથે વાત કરી અને તે આ શરતે 'સિલસિલા' કરવા રાજી થઈ ગયા કે આ પછી અમિતાભ ક્યારેય રેખા સાથે કામ નહીં કરે.
અમિતાભ બચ્ચને જયા બચ્ચનની વાત માની અને રેખાથી દૂર જવા લાગ્યા. ફિલ્મ 'સિલસિલા' પછી તેમણે રેખા સાથે કોઈ ફિલ્મમાં કામ કર્યું નથી. ત્યારબાદ 1983માં 'કુલી'ના સેટ પર અમિતાભ બચ્ચન સાથે અકસ્માત થયો અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યારે તેમની હાલત ખૂબ જ ગંભીર હતી. સૂત્રો અનુસાર ત્યારે રેખા બિગ બીની હાલત વિશે સાંભળીને રહી ન શકી અને તે તેમને મળવા હોસ્પિટલ ગઈ પરંતુ જયાએ તેમને અમિતાભ બચ્ચનને મળવા દીધા ન હતા.
અમિતાભની હાલત જોઈ રેખા ચોંકી ગઈ
તે સમયે અમિતાભ બચ્ચનની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે. દેશના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી પણ તેમને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યારે રેખા પોતાને કેવી રીતે રોકી શકે? એક દિવસ પરોઢ થતાં પહેલાં, રેખા બિગ બીને જોવા માટે કોટનની સાડી પહેરીને અંધારામાં હોસ્પિટલ પહોંચી.
રેખા અમિતાભની હાલત જોઈને ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી અને હોસ્પિટલથી પરત ફર્યા બાદ તેણે મંદિરોમાં તેમના માટે પ્રાર્થના કરવાનું શરૂ કર્યું હતું. એવું કહેવાય છે કે તે તેમના માટે પ્રાર્થના કરવા ઉજ્જૈનના મહાકાલેશ્વરથી તિરુપતિ મંદિર સુધી ગઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech