તાજેતરમાં જ પોરબંદર સહિત રાજ્યભરમાં રાજ્ય સરકારે વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી છે ત્યારે કોંગ્રેસે તેની જાટકણી કાઢીને એવો અણીયારો સવાલ મુખ્યમંત્રી સમક્ષ ઉઠાવ્યો છે કે ગુજરાતમાં જંગલ પર થયેલા દબાણ પર દાદાનું બુલડોઝર કયારે ફરશે?
પર્યાવરણ દિન મનાવતી ભાજપ સરકારને ખરેખર પર્યાવરણની ચિંતા છે ખરી? લોકસભામાં પ્રસ્તુત જવાબો સરકાર પર્યાવરણ કેટલી ગંભીર છે તે હકીકત છતી કરે છે. ગુજરાત રાજ્યના જંગલોની ૧૩૦૦૮.૧૧૯ હેકટર (૧૩૦૦૮૧૧૯૦ ચોરસ મીટર) જમીન પર દબાણ છે. દાદાના બુલડોઝર વાહવાહી લૂંટવામાં વ્યસ્ત છે. ત્યારે વિશ્ર્વ પર્યાવરણ દિન નિમિત્તે આ દબાણ હેઠળના જંગલો દાદાને ધ્યાનમાં નથી આવતા? કોના દબાોણ કેમ હટાવવામાં નથી આવતા? ગુજરાત રાજ્યનું સરકારએ જંગલ માટે પ્રેમ હતો તો જંગલોની ૩૭૨૫.૯૫ હેકટર જમીન (૩૭૨૫૯૫૦૦ ચોરસ મીટર) ને ખાનગી કોમર્શિયલ પ્રોજેકટને કેમ આપી દીધી છે? જંગલના હકદાર આદિવાસીઓ જંગલની જમીનથી વંચિત રહે અને જંગલો ઉપર દબાણ થઇ જાય, ખાનગી ઉદ્યોગોને આપી દેવામાં આવે તે ભાજપ સરકારનો કેવો પ્રકૃતિ પ્રેમ.
ગુજરાત રાજ્યમાં ૪૬૦૦થી વધારે ફેકટરીઓ પર્યાવરણના માપદંડનું સંપૂર્ણ પાલન ના કરતી હોય ત્યારે સૌથી વધુ મોટી જવાબદારી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની હોય છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સ્થિતિ દયનીય છે. માત્ર ૪૦% સ્ટાફથી ચાલે છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જેમાં ૪૩૦ મંજૂર જગ્યામાંથી ૨૬૦ જગ્યાઓ ખાલી છે. ૬૦%થી વધુ જગ્યાઓ ખાલી પડી છે.ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પાસે પૂરતો સ્ટાફ જ ના હોય તો પ્રદૂષણ કેમ રોકાય? જંગલો સુરક્ષિત ના હોય, પ્રદૂષણ રોકી શકે તેટલો સ્ટાફ ના હોય તેવી પરિસ્થિતિમાં ભાજપ સરકાર પર્યાવરણ માટે કેટલી ગંભીર છેતે સ્પષ્ટ દેખાય છે. કેન્દ્ર સરકારની નગર વન યોજનાના ૧૦૦ દિવસ એકશન પ્લાન હેઠળ સાત રાજ્યોમાં ૧૩૪.૦૧ કરોડના ૧૧૧ પ્રોજેકટ આપવામાં આવ્યા છે. તેમાં ગુજરાતનો સમાવેશ નથી. પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી ગુજરાતના હોય ત્યારે આવો ઝળહળતો અન્યાય કેમ?
ગુજરાતની ભાજપ સરકારને પર્યાવરણ અને પ્રકૃતિની બિલકુલ ચિંતા નથી, માત્ર કાગળો ઉપર પ્લાન મૂકીને વાહવાહી લૂંટવી, વૃક્ષારોપણના કાર્યક્રમોમાં ફોટોસેશન કરવા સિવાય સાચી દિશામાં કામ કરવામાં મૃદુ મકકમ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMક્રુડ ઓઇલના ભાવમાં થઈ રહેલો સતત વધારો દુનિયાને દઝાડશે, જાણો આની પાછળના કારણો
June 09, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech