ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્ર્રીય અધિવેશનનો બીજો દિવસ છે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પક્ષમાં બેસીને ભાજપ માટે કામ કરનાર નેતાઓને આડકતરી રીતે ઈશારો કર્યેા હતો કે જેમને કોંગ્રેસ માટે કામ ન કરવું હોય તે પક્ષ છોડીને જતા રહે. તેમણે કહ્યું કે, અમેરિકાએ ભારત પર ૨૬% ટેરિફ લાધો, પરંતુ સંસદમાં આ મુદ્દા પર ચર્ચા થવા દેવામાં આવી નહીં. અમે તે જ દિવસે આ મુદ્દો ઉઠાવ્યો હતો.પણ ચર્ચા થવા દીધી નહી.
જાહેર મિલકતો વેચાઈ રહી છે. તેઓ સરકારી નોકરીઓમાં એસ.સી,એસટી, અને ઓબીસી અનામતને નુકસાન પહોંચાડી રહ્યા છે. જો આ ચાલુ રહ્યું, તો મોદીજી દેશ વેચીને ચાલ્યા જશે.હાલ એરપોર્ટ, બંદર, ખાણકામ બધું જ તેના ઉધોગપતિ મિત્રોને આપવામાં આવી રહ્યું છે.
આ રાષ્ટ્ર્રીય સુરક્ષા માટે ખતરો છે. કોંગ્રેસના પ્રમુખ ખડગેએ વધુમાં કહ્યું કે, ભાજપના નેતાઓ કોંગ્રેસને ગાળો આપવા સિવાય કઈં કરતા નથી. સરકાર ચૂંટણી પંચથી લઈને દરેક જગ્યાએ દખલ કરી રહી છે. ચૂંટણીમાં કૌભાંડ ચાલી રહ્યું છે. વિકસિત દેશોએ ઈવીએમ છોડી દીધું અને મતદાન કયુ. ફકત આપણી પાસે જ ઈવીએમ છે. બધી જ છેતરપિંડી છે. તેઓ પુરાવા માંગે છે, પણ હત્પં કહીશ કે તમે એવી ટેકનિક વિકસાવી છે કે તમે વિરોધી પક્ષને હરાવવા માંગો છો.
કોંગ્રેસ અધ્યક્ષે પૂછયું, મહારાષ્ટ્ર્રમાં શું થયું, રાહત્પલ ગાંધીએ સંસદમાં પ્રશ્ન ઉઠાવ્યો, પણ કોઈ જવાબ ન આવ્યો. મહારાષ્ટ્ર્રમાં નકલી મતદાર યાદીથી ચૂંટણી જીતી. હરિયાણામાં આવું ઓછું બન્યું, પણ એ જ બન્યું. ભાજપે ૧૫૦ બેઠકો પર ચૂંટણી લડી અને ૧૩૮ બેઠકો જીતી. આપણે ૯૦% બેઠકો કેવી રીતે જીતી શકીએ? આ છેતરપિંડી બીજે કયાંય થઈ નથી. મતદાર યાદીમાં ભૂલ છે, તેને કોઈ રોકી રહ્યું નથી.કોંગ્રેસ માટે જેને કામ નથી કરવું તે નીકળી જાય: ખડગે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech