શનિવારી ગ્રાઉન્ડ પાસે બસની ઠોકરે વૃઘ્ધને ફ્રેકચર
જામનગરના સુભાષબ્રીજ નજીક ભારતવાસ બારદાનવાલા કોમ્પ્લેક્ષવાળી ગલીમાં રહેતા સોનલબેન ગૌતમભાઇ પરમાર (ઉ.વ.૩૫)એ અજાણ્યા રીક્ષાના ચાલક સામે એવી ફરીયાદ કરી હતી કે, તેણી તા. ૧૧ના નાગનાથ ગેઇટથી પોતાના ઘરે ચાલીને જતા હતા ત્યારે વાસ્પા રીક્ષાના ચાલકે બેદરકારીથી ચલાવીને તેણીને પાછળથી ઠોકર મારી શરીરે છોલછાલ અને હેમરેજ જેવી ઇજા પહોચાડી નાશી છુટયો હતો.
બીજા બનાવમાં મચ્છરનગર વિસ્તારમાં જૈન કોલોની શેરી નં. ૪માં રહેતા કિશન કાશીરામ તેઉમાર (ઉ.વ.૩૮) એ ગઇકાલે સીટી-બીમાં બસ નં. જીજે૧૦ટીવી-૨૧૩૪ના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદીના પિતા કાશીરામભાઇ ગઇકાલે સવારે સાયકલ લઇને નોકરી પર જતા હતા ત્યારે શનિવારી ગ્રાઉન્ડ રોડ પર પહોચતા ઉપરોકત નંબરના બસચાલકે પુરઝડપે અને ગફલતથી ચલાવી વૃઘ્ધને ઠોકર મારી હતી જેમાં કાશીરામભાઇને શરીરે છોલછાલ અને મણકાના ભાગે ફ્રેકચર જેવી ઇજા પહોચી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech