પોરબંદરના સાન્દીપનિ વિદ્યા સંકુલમાં યોજાયેલા કાર્યક્રમમાં એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમીના વિદ્યાર્થીઓએ યોગ અને કરાટેનું અદ્ભુત પ્રદર્શન કર્યું હતુ. તાજેતરમાં પોરબંદરના સાન્દીપનિ શૈક્ષણિક સંકુલના સ્થાપક અને રાષ્ટ્રીય સંત પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સ્થાપિત હરિ મંદિરના ઓડિટોરિયમમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં સાંદિપની ઇંગ્લીશ અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજુ કરી હતી,જેમાં એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમીના વિદ્યાર્થીઓએ યોગ અને કરાટેની હૃદયસ્પર્શી અને રોમાંચક પ્રસ્તુતિ આપી હતી.
વિદ્યાર્થીઓની આ અદભુત પ્રસ્તુતિ નિહાળી પુ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝા પણ ખુશ થઇ ગયા હતા અને તેમણે સ્ટેન્ડિંગ ઓવેશન આપીને વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા.આજે યોગ વિશ્ર્વભરમાં ભારતની પ્રાચીન વિદ્યા તરીકે પ્રતિષ્ઠિત થઈ ચુક્યું છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી તેને વૈશ્વિક માન્યતા મળી છે.આ સાથે, આજની પરિસ્થિતિમાં સ્વરક્ષણ માટે કરાટેનું મહત્વ પણ વધ્યું છે.સાંદિપની ઇંગ્લીશ અને ગુજરાતી માધ્યમ જ્ઞાન શક્તિ અંતર્ગત એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમીના એક્સપર્ટ ટ્રેનર સેનસાઈ મહેશ મોતીવરસ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોફેશનલ પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે.આ તાલીમમાં પ્રશિક્ષિત વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ઉત્તમ પ્રદર્શન કર્યુ હતુ,જેને સંપુર્ણ સભામંડપે સ્ટેન્ડિંગ ઓવેશન આપી સન્માનિત કર્યું હતુ.આ પ્રસંગે સાંદિપની ઇંગ્લીશ માધ્યમના પ્રિન્સિપાલ નાયર, ગુજરાતી માધ્યમના પ્રિન્સિપાલ કમલભાઈ મોઢા, અને પી.આર.ઓ. દેવજીભાઈ ઓડેદરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ સફળ પ્રસ્તુતિ માટે એકેડમીના મુખ્ય સંચાલક કેતન કોટિયા, સુરજ મસાણી અને મહેશ મોતીવરસે શુભકામનાઓ પાઠવી હતી.આ સાથે, ડેમોસ્ટ્રેશનમાં સામેલ તમામ બાળકોને પણ શુભેચ્છાઓ પાઠવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech