ભાવનગરના યુવા રેડિયોલોજીસ્ટે ગળાફાંસો ખાઈ વ્હોર્યો આપઘાત

  • June 10, 2025 04:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના એક યુવાન  તબિબે પુના ખાતે આવેલ એક ખાનગી હોસ્પિટલ ની હોસ્ટેલ માં કામ ના ભારણના લીધે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવી લેતા ભારે ચકચાર મચી છે. પુના ખાતેની રૂબિ હોલ ક્લિનિક હોસ્પિટલમાં અભ્યાસ કરી પ્રેક્ટીસ કરી રહ્યા હતા.
શહેરના ઘોઘાસર્કલ વિસ્તારના સેનેટોરીયમ રોડ પર રહેતા ડો. શ્યામ વોરા છેલ્લા દોઢેક વર્ષથી ભાવનગરથી પૂના ખાતે રેડિયોલોજીમાં એમ.ડી.ના ઉચ્ચ અભ્યાસ માટે ગયા હતા જ્યાં તેમણે પુના ખાતેની રૂબિ હોલ ક્લિનીક હોસ્પિટલ ખાતે એમ.ડી. તરીકે એડમીશન લઇ ત્યાં હોસ્પિટલમાં
જ રેડિયોલોજી વિભાગમાં એમ.ડી. માં રેસીડેન્ટ તબિબ તરીકે પ્રેક્ટીસ કરી રહ્યા હતા અને હોસ્પિટલ નજીક આવેલ દામોદર ભવન છાત્રાલયમાં રહેતા હતા. ડો. શ્યામ વોરા (ઉ.વ.૨૫) ને છેલ્લા ઘણા મહિનાઓથી રજા મળતી ન હતી જેથી તેઓ ડિપ્રેશનમાં રહેતા હતા જેને લઈને રવિવારે તેમના છાત્રાલયના રૂમમાં ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ સ્થાનિક પોલીસ મથક કોરેગાંવ પાર્ક પોલીસ મથકના અધિકારીઓને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી હતી. મૃતકના પિતા પંકજભાઈ વોરા ભાવનગર કોર્ટમાંથી રજીસ્ટ્રાર ક્લાર્કના પદ પરથી નિવૃત થયા છે અને માતા પણ નિવૃત જીવન ગાળે છે અને બે પુત્રીઓ હોવાનું સૂત્રોથી જાણવા મળ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application