પોરબંદરમાં મચ્છર મારવાની ઝેરી દવા પી યુવાને કર્યો આપઘાત

  • June 11, 2025 02:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં જલારામ મંદિર પાસે રહેતા યુવાને મચ્છર મારવાની ઝેરી દવા પી જિંદગી ટુંકાવી લેતા ભારે અરેરાટી ફેલાય છે.
પોરબંદરના કમલાબાગ નજીક જ્ઞાનજ્યોત વાળી ગલીમાં રહેતા અનિલ ભીમજીભાઇ ગોહેલ નામના યુવાને કિર્તિમંદિર પોલીસ મથકમાં એવું જાહેર કર્યું છે કે,તેના મોટાભાઈ જીતેન્દ્રભાઈ ભીમજીભાઇ ગોહેલ (ઉ.વ.૪૫) કે જેઓ ખારવાવાડના જલારામ મંદિર પાસે આવેલા તેમના જુના ઘરે હતા તેણે કોઈ અગમ્ય કારણોસર મચ્છર મારવાની ઝેરી દવા પી લીધી હતી અને  તેમને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું હોવાનું જાહેર કરવામાં આવતા પોસ્ટમોર્ટમ સહિત પોલીસની વિધિ કરવામાં આવી હતી. આગળની તપાસ કીર્તિમંદિર પોલીસે હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application