કલ્યાણપુર તાલુકાનો સૌથી મહત્વનો ગણાતો સાની ડેમના કામોમાં કોન્ટ્રાકટરો સાથે મીલીભગત કરી જળસંપતિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સરકારને લાખો રૂપિયાનો ધુંબો માર્યા હોવાના ધગધગતા આરોપી લાગી રહ્યા છે. આ અંગે રાજકોટના કાલાવડ રોડ પર રહેતા મનહરલાલ કોટકે રાજયપાલને લેખિત રજુઆત કરી છે.
ગુજરાત સરકારના જળ સંપતિ વિભાગ હેઠળનો સાની ડેમ ઘણા વર્ષોથી તૂટી ગયો હોવાથી સિંચાઇ માટે પાણી ન ભરાતા પ્રજા અને ખેડુતોને હાલ કોઇ જ લાભ મળતો નથી. આ ડેમના કામમાં અમુક અધિકારીઓની ખોટી નિતિઓને કારણે પ્રજાના નાણાનો બેફામ વેડફાડ થયેલ છે.
આ આરોપને લઇ ચકચાર મચી છે, આ રજુઆતમાં જણાવ્યા અનુસાર ડેમનું કામ સૌપ્રથમ રૂા. ૧૯.૦૪ કરોડમાં વર્કઓર્ડર આપવામાં આવ્યો છે. અને તેની સમય મર્યાદા ૨૪ માસની રાખવામાં આવી હતી. આ કામમાં ડીઝાઇન મુજબ ડેમના બન્ને કાંઠાનું બાંધકામ મજબૂત હોવાથી તેને હયાત રાખવામાં ફકત વચ્ચેના ભાગમાં કામગીરી કરવાનું નકકી કરાયું હતું. સંપુર્ણ ભાગમાં કામગીરી કરવાનું નકકી કરાયુ હતું. આરસીસી અને ફાઉન્ડેશન રોડ તોડાવનું નકકી થયેલ હતું.
તા. ૨ ના રોજ તેઓ દ્વારા ભરેલ ભાવ મંજુર થયા બાદ બરોબર નહીં જણાતા ઉચ્ચ અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી કામમાંથી કોઇપણ જાતની પેનલ્ટી વગર સલામત રીતે બહાર નીકળી જવા ખેલ પાડી દીધો હતો. જેથી તત્કાલીન ચીફ ઇજનેર ઇશારે પાયામાં રોક બ્રેકરથી તૂટી શકે નહીં. તેવા ખોટા કારણો ઉભા કરી સમગ્ર ડેમને તોડી ફરી નવો કરવાનો ખોટો નિર્ણય લઇ કોન્ટ્રાકટર પાસેથી મોટા નાણાનો વહીવટ કરી તેમને કામમાંથી મુકત કર્યા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો, તેમ પત્રના અંતમાં જણાવ્યું છે.