જૂનાગઢમાં બેંક મેનેજરે બેંકમાં આપઘાત કરી લેતા શોકનો માહોલ છવાયો છે. ગુજરાત રાજ્ય સહકારી અને ગ્રામીણ બેંક જૂનાગઢ શાખાના મેનેજરે આપઘાત કરી લેતા પરિવારમાં અને અન્ય સહકર્મીઓમાં શોકની લાગણી જોવા મળી છે. આપઘાત પાછળનું કારણ અકબંધ છે. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, જૂનાગઢમાં સહકારી અને ગ્રામીણ બેંકમાં ફરજ બજાવતા મેનેજરે બેંકમાં સવારે આવીને આપઘાત કરી લીધો હતો. ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે. આપઘાત કેમ કર્યો તેને લઈ પોલીસ પણ તપાસ કરી રહી છે. મૃતદેહ ઉતારીને પોલીસે તેને પીએમ માટે મોકલી આપ્યો છે અને અન્ય સહકર્મીઓના નિવેદન પણ લીધા છે. મૃતદેહનું પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે. મૃતકની ઉંમર 52 વર્ષ અને નામ કાનજી કેસર ડોડિયા છે. પોલીસે મોબાઈલ ફોન પણ તપાસ માટે જપ્ત કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech