પૂણેના હાઈપ્રોફાઈલ પોર્શ કેસની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ દરરોજ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આરોપી સગીરે રવિવારે પોલીસ પૂછપરછ દરમિયાન કબૂલ્યું હતું કે કાર અકસ્માતની રાત્રે તે દારૂના નશામાં હતો. મીડિયા અહેવાલો અનુસાર, સગીરે કહ્યું કે તેને અકસ્માત વિશે વધુ યાદ નથી. 18-19 મેની રાત્રે એક સગીરે બાઇક સવાર યુવક યુવતીને તેની લક્ઝરી કારથી ટક્કર મારી હતી, જેના કારણે બંનેના મોત થયા હતા. ઘટના બાદ રાહદારીઓએ આરોપીને માર માર્યો હતો.
કેસની તપાસ કરી રહેલી પોલીસ ટીમે 1 જૂનના રોજ કિશોર ગૃહમાં તેની માતાની હાજરીમાં આરોપીની પૂછપરછ કરી હતી. અગાઉ જુવેનાઈલ બોર્ડે 31 મેના રોજ પૂછપરછની પરવાનગી આપી હતી. અકસ્માત બાદ સગીરની પૂછપરછ કરવામાં આવી ન હતી અને તેનું નિવેદન પણ નોંધવામાં આવ્યું ન હતું.
પુણેની એક કોર્ટે 2 જૂને સગીરના પિતા વિશાલ અગ્રવાલ અને માતા શિવાની અગ્રવાલને 5 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા હતા. બંને પર તેમના સગીર પુત્રના બ્લડ સેમ્પલ સાથે ચેડા કરવાનો આરોપ છે. પોલીસે કોર્ટને જણાવ્યું કે શિવાની અગ્રવાલે તેના પુત્રના લોહીના નમૂના બદલવા માટે તેના લોહીના નમૂના આપ્યા હતા અને ડોક્ટરોને મોટી રકમ ચૂકવી હતી. પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારે જણાવ્યું કે શિવાની અગ્રવાલ છેલ્લા કેટલાક દિવસોથી ઘરેથી ગુમ હતી. 1 જૂનની રાત્રે તેની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે સગીર આરોપીના મિત્રોએ જણાવ્યું હતું કે ઘટનાની રાત્રે બંને કારની પાછળની સીટ પર બેઠા હતા અને આરોપી દારૂ પીને તેજ ગતિએ ગાડી ચલાવી રહ્યો હતો. પોલીસ હવે આ બંને મિત્રોને સાક્ષી બનાવવાનું વિચારી રહી છે. જો કે આ અંગે પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
પુણેના કલ્યાણી નગર વિસ્તારમાં 18-19 મેની રાત્રે 17 વર્ષના 8 મહિનાના સગીરે આઈટી સેક્ટરમાં કામ કરતા યુવક અને યુવતીને ટક્કર મારી હતી, જેના કારણે બંને બાઇક સવારોના મોત નીપજ્યા હતા. કહેવાય છે કે અકસ્માત સમયે આરોપી 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાર ચલાવી રહ્યો હતો. સગીરને બાળ ગૃહમાં મોકલી દેવામાં આવ્યો છે અને તેના માતા-પિતા સહિત 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગ્રામ પંચાયતની ચૂંટણીમાં જોડિયા તાલુકાના ૯ ગામોના સરપંચ થયા બિનહરીફ
June 10, 2025 04:15 PMભાવનગરના યુવા રેડિયોલોજીસ્ટે ગળાફાંસો ખાઈ વ્હોર્યો આપઘાત
June 10, 2025 04:05 PMવિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સાઇકલ રેલી
June 10, 2025 04:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech