હાલ દિલ્હી સીએમ કેજરીવાલ એક્સાઇઝ પોલિસી કેસ મામલે ED ની કસ્ટડીમાં છે. મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહેલી EDએ 21 માર્ચે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. આ બાદ દિલ્હીના સીએમ પદ માટેની અટકળો શરૂ થઈ હતી, તો આ સવાલો પર પૂર્ણવિરામ મુકતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ED કસ્ટડીમાંથી પાણી પુરવઠા મંત્રીને સૂચના આપીને જવાબ આપ્યો કે હવે અરવિંદ કેજરીવાલ EDની કસ્ટડીમાં હોય કે જેલમાં, તેઓ ત્યાંથી જ સરકાર ચલાવશે.
મુખ્યમંત્રીની સૂચના મળ્યા બાદ દિલ્હીના જળ મંત્રી આતિશીએ ભાવનાત્મક રીતે કહ્યું કે દિલ્હીના લોકપ્રિય મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ આજે અરવિંદ કેજરીવાલ જી વતી હું દિલ્હીના તમામ લોકોને ખાતરી આપવા માંગુ છું કે ભલે અરવિંદ કેજરીવાલ જીની ધરપકડ કરવામાં આવી હોય. ભલે અરવિંદ કેજરીવાલ જી આજે કેન્દ્ર સરકારની EDની કસ્ટડીમાં હોય. પરંતુ દિલ્હીના લોકોનું કોઈ કામ અટકશે નહીં. દિલ્હીના લોકો કામ કરતા રહેશે.
મંત્રી આતિશીએ કહ્યું કે જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ મને ED કસ્ટડીમાંથી પાણી મંત્રી તરીકે તેમના નિર્દેશો આપ્યા ત્યારે મારી આંખોમાં આંસુ આવી ગયા. તેઓ દિલ્હીના 2 કરોડ લોકોને પોતાનો પરિવાર માને છે, 9 વર્ષથી તેમણે દિલ્હીની સરકાર એવી રીતે ચલાવી છે કે જાણે તેઓ પોતાનો પરિવાર ચલાવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'હાઉસફુલ 5'ની બોક્સ ઓફીસ પર ધમાલ,'સિકંદર', 'રેડ 2'-'જાટને પાછળ છોડી દીધી
June 09, 2025 12:21 PMઆ ફિલ્મ ઓટીટી પર નહી જ આવે, આમિર ખાને સ્પષ્ટ કર્યું
June 09, 2025 12:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech