હવે T20 વર્લ્ડ કપ શરૂ થવામાં માત્ર 20 દિવસ બાકી છે અને રોહિત શર્માનું ફોર્મ ચિંતા વધારી રહ્યું છે. IPL 2024માં રોહિત શર્માનું પ્રદર્શન બહુ સારું રહ્યું નથી. તેની અસર મુંબઈ ઈન્ડિયન્સના પ્રદર્શન પર પણ પડી અને ટીમ આઈપીએલ પ્લેઓફમાં જગ્યા બનાવી શકી નહીં. રોહિતે IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે સદી ફટકારીને ચોક્કસપણે સારી શરૂઆત કરી હતી. પરંતુ, તેનું તાજેતરનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે.
તેણે છેલ્લી કેટલીક મેચોમાં 6, 8, 4, 11, 4 અને 19 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં ટી20 વર્લ્ડ કપ પહેલા તેનું ફોર્મ સારું ન હોવું ભારતીય ટીમ માટે ટેન્શનનો વિષય છે. જો કે તેમ છતાં સૌરવ ગાંગુલીને વિશ્વાસ છે કે રોહિત T20 વર્લ્ડ કપમાં સારું રમશે. સૌરવ ગાંગુલીએ પ્રવીણ આમ્રેના બુક લોન્ચ ઈવેન્ટમાં કહ્યું કે, "ભારતીય ટીમ સારી છે. રોહિત વર્લ્ડ કપમાં સારું રમશે. તે મોટી ટુર્નામેન્ટમાં સારું રમે છે. મોટા મંચ પર તેનું પ્રદર્શન વધુ સારું છે,"
પ્રથમ ચાર T20 વર્લ્ડ કપ રોહિત માટે સરેરાશ હતા, જેમાં અનુક્રમે 88, 131, 84 અને 82ના સ્કોર હતા. એકવાર ઓપનિંગ બેટ્સમેન તરીકે પ્રમોટ કરવામાં આવ્યા બાદ, રોહિતે 2014 વર્લ્ડ T20માં 200 રન બનાવ્યા હતા, જ્યાં ભારત રનર્સ-અપ થયું હતું. બે વર્ષ પછી, રોહિતનું પોતાના હોમ ગ્રાઉન્ડ પર T20 વર્લ્ડ કપમાં વધુ ખરાબ પ્રદર્શન હતું, જ્યારે ભારત સેમિફાઈનલમાં વેસ્ટ ઈન્ડિઝ સામે હારી ગયું હતું. 2021 અને 2022 માં, રોહિતે 174 અને 116 રન બનાવ્યા હતા પરંતુ તે હજુ પણ તેના ફ્લોથી દૂર હતો. આ તેનો છેલ્લો T20 વર્લ્ડ કપ હશે, તેથી દરેક રોહિત પાસેથી તેના બેસ્ટ પર્ફોમન્સની અપેક્ષા રાખશે.
રોહિત T20 વર્લ્ડ કપમાં ભારતની કેપ્ટનશીપ કરશે અને યશસ્વી સાથે ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે. તેના નેતૃત્વમાં ગયા વર્ષે ભારત ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું હતું અને રનર અપ રહ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિધાનસભાના અધ્યક્ષે પોરબંદરના ધારાસભ્યની માણી મહેમાનગતિ
June 09, 2025 02:43 PMપોરબંદરના લઘુમતિ વિસ્તારમાં પાયાની સુવિધાઓ આપવા થઇ માંગ
June 09, 2025 02:42 PMગાઝા તરફ આગળ વધી રહેલી પર્યાવરણ કાર્યકર્તા થનબર્ગની જહાજ રોકી ધરપકડ
June 09, 2025 02:41 PMરાફેલ મુદ્દે ભારત - ફ્રાંસ વચ્ચે અણબનાવ? એસ જયશંકર આવતા સપ્તાહે પેરિસ જશે
June 09, 2025 02:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech