પૃથ્વી પર ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જે વૃદ્ધ થવા માંગતી હોય. સ્ત્રી હોય કે પુરૂષ, તેઓ પોતાને કાયમ યુવાન રાખવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરે છે. પરંતુ ઉંમર સતત વધી રહી છે. અને એક દિવસ દરેકને વૃદ્ધ થવાનું છે. પરંતુ પૃથ્વી પર એક એવો જીવ છે જેનું પ્રોટીન વૃદ્ધત્વ અટકાવવાની શક્તિ ધરાવે છે. તાજેતરના સંશોધનમાં આની પુષ્ટિ થઈ છે.
ટાર્ડીગ્રેડને દુનિયાના સૌથી હિંમતવાન જીવો માનવામાં આવે છે. તે એટલા મજબૂત છે કે તે ગમે તેટલું ગરમ કે ઠંડા તાપમાનમાં હોય, છતાં તે મૃત્યુ પામતા નથી. તેને અમર અને અવિનાશી પ્રાણી પણ માનવામાં આવે છે. તાજેતરમાં જ્યારે વૈજ્ઞાનિકોએ આ અંગે સંશોધન કર્યું તો ચોંકાવનારી બાબતો સામે આવી. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ટાર્ડિગ્રેડમાં એક ખાસ પ્રકારનું પ્રોટીન મળ્યું છે, જે મનુષ્યમાં વૃદ્ધત્વની પ્રક્રિયાને રોકે છે. એવા પ્રારંભિક સંકેતો છે કે જો યુવાનો તેનો ઉપયોગ કરશે, તો તેઓ ક્યારેય વૃદ્ધ નહીં થાય.
પ્રોટીન સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, જ્યારે આ નાના જીવમાં મળી આવેલા પ્રોટીનનું પ્રયોગશાળામાં નિરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે તે માનવ કોષોને વિનાશથી બચાવે છે. આ પ્રોટીનનું નામ સીએએચએસડી છે, જે માનવ કોષોમાં દાખલ કરવામાં આવે ત્યારે જેલ જેવી રચનામાં ફેરવાય છે. અગ્રણી સંશોધક અને વ્યોમિંગ યુનિવર્સિટીમાં મોલેક્યુલર બાયોલોજીના પ્રોફેસર, સિલ્વિયા સાંચેઝ-માર્ટિનેઝે જણાવ્યું હતું કે, આ પ્રોટીન માનવ કોષોને વધારાની શક્તિ પ્રદાન કરે છે. તેઓ નાશ પામતા નથી.
ટાર્ડિગ્રેડ્સને પાણીના રીંછ તરીકે પણ ઓળખવામાં આવે છે. આઠ પગવાળો આ જીવ કોઈ સુપરહીરોથી ઓછો નથી. અતિશય ગરમી અને ઠંડકવાળી ઠંડીમાં પણ તેના શરીરમાં અસર નથી થતી. અવકાશમાં પણ, જ્યાં માનવી માટે 2 સેકન્ડ પણ ટકી રહેવું અશક્ય છે, તે ત્યાં પણ ટકી શકે છે. તે પોતાની જાતને બદલવાની અદભૂત ક્ષમતા ધરાવે છે. કહેવાય છે કે તેના શરીર પર બંદૂકની ગોળી વાગી જાય તો પણ તે જીવિત રહે છે. એવું કહેવાય છે કે જો મનુષ્યને તેનું જીન મળી જાય તો તે કાયમ માટે યુવાન બની જાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિહોરના ટોડા વસાહતના એક બંધ મકાનમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો
June 09, 2025 03:30 PMદેવગણાના શહીદ મેહુલભાઈને crpfના ડી.જી.પી. જ્ઞાનેન્દ્ર પ્રસાદસિંહે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
June 09, 2025 03:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech