શહેરના રૈયાધાર સ્લમ કવાર્ટર પાવર હાઉસની બાજુમાં ઝૂંપડામાં રહેતા લખમણ જગુભાઈ રાઠોડ(ઉ.વ ૪૫) દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે બપોરના 3:30 વાગ્યા આસપાસ તે તથા તેની પત્ની ગીતા રૈયાધાર રાધેશ્યામ ગૌશાળા પાસે તેના મામા કલ્યાણભાઈના પુત્રના પુત્ર વિનયની સગાઈમાં ગયા હતા. અહીં તેની બહેન જશીબેન જગુભાઈ રાઠોડ (રહે. નિકોલ, અમદાવાદ) ના વેવાઈ પણ આવ્યા હોય વેવાઈ અરજણભાઈ ડાયાભાઈ જહાચીયાએ તેમની પાસે આવી કહેવા લાગ્યા હતા કે, તમારી બેહેનને ત્યાં મેં મારી દીકરી આપી છે તમારી બેહેન અવારનવાર મારી દીકરી સાથે ઝઘડો કરે છે તો તમે કંઈ કહેતા નથી. તેમ કહેતા લખમણભાઇએ કહ્યું હતું કે, એ તમારો પ્રશ્ન છે તમે અમને શું કામ કહો છો. જેથી અરજણ ગુસ્સે ભરાયો હતો અને જોરથી બોલાચાલી કરવા લાગ્યો હતો.
બાદમાં અરજણનો પુત્ર નરેશ કલ્પેશ તથા સંજય બાબુભાઈ જહાચીયા અહીં આધેડ પાસે આવી ગાળો બોલવા લાગ્યા હતા. કલ્પેશે લોખંડના સળિયા વડે હુમલો કરી દીધો હતો તેમજ નરેશ અને સંજય ઢીકાપાટુનો મારમાર્યો હતો. આધેડના પત્ની ગીતાબેન વચ્ચે પડતા તેમને પણ ઢીકાપાટુનો માર મારી પછાડી દીધા હતા. અરજણે ધમકી આપી હતી કે, પોલીસ કેસ કરશો તો ટાંટીયા ભાંગી નાખીશું. જેથી આ અંગે આધેડે ચારેય આરોપીઓ વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech